IPL 2024સ્પોર્ટસ

સૂર્યકુમારનું લગભગ નક્કી થઈ ગયું, બહુ જલદી રમવા આવી રહ્યો છે

મુંબઈ: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતની ત્રણેય મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ અને એના કરોડો ચાહકો માટે ગુડ ન્યૂઝ છે.

ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવે ફિટનેસ ટેસ્ટ લગભગ ક્લીયર કરી લીધી છે અને સાતમી એપ્રિલની મૅચથી અથવા ત્યાર પછીની 11 એપ્રિલની મૅચથી એમઆઇની ટીમમાં પાછો આવશે.


આ પણ વાંચો: આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી


સૂર્યકુમારે પગની ઘૂંટીની અને સ્પોર્ટસ હર્ણિયાની સર્જરી કરાવી હતી. તેના સ્થાને એમઆઇમાં નમન ધીરને રમાડવામાં આવે છે. સૂર્યાના કમબૅકથી ધીર કદાચ ટીમમાંથી સ્થાન ગુમાવશે તેમ જ કૅપ્ટન હાર્દિક પંડ્યાને પણ ઘણી મદદ મળશે.

સૂર્યા છેલ્લે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં રમ્યો હતો. છેલ્લી ચાર-પાંચ સીઝનથી તે એમઆઇનો મુખ્ય બૅટર છે અને અત્યારે ટીમને તેની ખાસ જરૂર છે.


આ પણ વાંચો:
આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

મુંબઈની આગામી રવિવારની મૅચ વાનખેડેમાં દિલ્હી સામે રમાશે અને ત્યાર પછી 11મીની મૅચ વાનખેડેમાં જ બેન્ગલૂરુ સામે રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ