સ્પોર્ટસ

મનોમન હું ક્યારની શ્રેયસ ઐયરને પરણી ગઈ છું… આવું ચોંકાવનારું નિવેદન આપ્યું આ અભિનેત્રીએ

નવી દિલ્હી: 2024ની સાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શ્રેયસ ઐયર (SHREYAS IYER)ને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને કેપ્ટન બનાવ્યો જેને પગલે કેકેઆરને તેણે આઈપીએલનું ટાઈટલ અપાવ્યું ત્યાર બાદ 2025માં પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો જેને પગલે શ્રેયસે પંજાબને રનર-અપ બનાવ્યું. સ્વાભાવિક છે કે આઈપીએલના હાલના ટોચના કેપ્ટનોમાં શ્રેયસનું નામ અચૂક લેવાય છે અને તેની લોકપ્રિયતા પણ ખૂબ વધી ગઈ છે.

જુઓને, ભારતની એક્ટ્રેસ (પંજાબની ટીમની સહ-માલિક) પ્રિટી ઝિન્ટા તો શ્રેયસની કેપ્ટન્સીથી ખુશ છે જ, દુબઈની અભિનેત્રી એડિન રોઝ (EDIN ROSE) તો શ્રેયસ પર આફરીન છે. દુબઈની એક્ટ્રેસ અને ટીવી-સ્ટાર એડિન રોઝે શ્રેયસ ઐયર વિશે ભાવુક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘સામાન્ય રીતે કોઈ સેલિબ્રિટીને બીજી સેલિબ્રિટી પર ક્રશ હોય એના કરતાં વિશેષ લાગણી મને શ્રેયસ વિશે છે.’

એડિન રોઝે છેક ત્યાં સુધી કહ્યું હતું કે ‘મનોમન હું શ્રેયસને ક્યારની પરણી ચૂકી છું. ક્યારેક મને એવો પણ વિચાર આવે છે કે હું તેના બાળકોની મમ્મી છું.’

એડિન રોઝની આ રોમેન્ટિક પ્રતિક્રિયાથી સોશિયલ મીડિયામાં એડિન અને શ્રેયસ, બંનેના ફેન્સમાં હલચલ મચી ગઈ છે.

શ્રેયસે એડિન વિશે જાહેરમાં કોઈ જ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એડિનના નિવેદનોથી શ્રેયસના અમુક ફેન્સને શંકા હશે કે તેમની વચ્ચે કંઈક તો રિલેશન છે જ.

એડિન દુબઈની અભિનેત્રી છે, પરંતુ ભારત અને ભારતની સંસ્કૃતિ તેને ખૂબ ગમે છે. તે શ્રેયસ ઐયરના શાંત સ્વભાવ અને શિસ્તબદ્ધ રમવાની સ્ટાઇલ પર ફિદા છે. એડિન ઇન્ટરવ્યૂમાં વધુમાં કહે છે કે ‘ હું તો શ્રેયસના અભિગમની આશિક છું અને તેના અપ્રોચ પરથી દરરોજ કોઈને કોઈ રીતે પ્રેરણા મેળવવું છું.’

આ પણ વાંચો….શ્રેયસ ઐયરે મને ગાળ આપી, જો તેણે થપ્પડ મારી હોત તો…: પંજાબના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button