ટીમ ઈન્ડિયાને હરભજન સિંહની સલાહ, ઇંગ્લેન્ડ સામે સ્પિનરની જોડીને રમાડો…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજા સાથે અન્ય સ્પિનર કુલદીપ યાદવનો સમાવેશ કરવાની ટીમ ઈન્ડિયાને સલાહ આપી હતી. સીરિઝની પ્રથમ મેચ 20 જૂને લીડ્સમાં શરૂ થશે. પરંપરાગત રીતે લીડ્સની પિચ સ્પિનરો કરતાં ઝડપી બોલરોને વધુ અનુકૂળ રહી છે.
હરભજન સિંહે જણાવ્યું હતું કે “ભારતે કુલદીપ યાદવને રમાડવા પર વિચાર કરવો જોઇએ. જાડેજા તેની સાથે બોલિંગ કરશે. તેથી આ મેચ માટે ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરોનું કોમ્બિનેશન યોગ્ય રહેશે. હરભજને કુલદીપને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સંભવિત મેચ વિનર ગણાવ્યો હતો.
આપણ વાંચો: જુનિયર ક્રિકેટને લઇને બીસીસીઆઇનો મોટો નિર્ણય, આ ટેસ્ટ કરાવવો પડશે
તેણે કહ્યું હતું કે, “ચાલો જોઈએ કે પરિસ્થિતિઓ બદલાય છે અને સ્પિનરોને મદદ મળે છે કે નહીં. પરંતુ જો એવું ન થાય તો પણ મને લાગે છે કે આ બે સક્ષમ બોલરો છે જે કોઈપણ પિચ પર વિકેટ લઈ શકે છે.”
હરભજને 2002માં હેડિંગ્લી ખાતે બે સ્પિનરોને મેદાનમાં ઉતારવાના ભારતના સાહસિક નિર્ણયને યાદ કર્યો હતો જ્યારે તેણે અને અનિલ કુંબલેએ મળીને 11 વિકેટ ઝડપી હતી. હરભજને કહ્યું હતું કે, “તે સમયે તે ખૂબ જ અનોખો નિર્ણય હતો. પિચ પર ઘણું ઘાસ હતું પરંતુ મેનેજમેન્ટે નિર્ણય લીધો કે અમે બે સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે રમીશું અને અને સંજય બાંગર પણ બોલિંગ કરશે.”
આપણ વાંચો: સાઉથ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટમાં બન્યું ચૅમ્પિયનઃ `ચૉકર્સ’ની દાયકાઓ જૂની છાપ ભૂંસી નાખી
તેમણે કહ્યું હતું કે, “અમે પાંચ શ્રેષ્ઠ બોલરો પસંદ કર્યા છે જે વિકેટ લઈ શકે છે. અંતે એ જ મહત્વનું છે. તમારે એવા બોલરોને સમર્થન આપવું પડશે જે કોઈપણ પરિસ્થિતિમાં અથવા કોઈપણ પ્રકારની પિચ પર વિકેટ લઈ શકે છે.”
હરભજને કહ્યું હતું કે, “ભારતને એક એવા બોલરની જરૂર છે જે થોડી બેટિંગ પણ કરી શકે. ભારત પાસે સાતમા નંબર સુધી બેટિંગ કરવા માટે ખેલાડીઓ છે અને આઠમા નંબર પર તમારે જોવું પડશે કે કોણ બોલિંગ કરી શકે છે અને તમારા માટે વિકેટ લઈ શકે છે અને થોડી બેટિંગ પણ કરી શકે છે.