ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; સોશિયલ મીડિયા પર લખી ઇમોશનલ પોસ્ટ | મુંબઈ સમાચાર
Top Newsસ્પોર્ટસ

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; સોશિયલ મીડિયા પર લખી ઇમોશનલ પોસ્ટ

રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટના ધુરંધર ખેલાડી ચેતેશ્વર પૂજારા(Cheteshwar Pujara)એ આજે રવિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે.

Veteran Indian Test cricketer announces retirement; writes emotional post on social media

ચેતેશ્વર પૂજારાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી ઈમોશનલ પોસ્ટ લખી છે, જેમાં તેણે લખ્યું, “ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે અને મેદાન પર ઉતરતી વખતે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા તેનો અર્થ શું છે તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. પરંતુ કહેવામાં આવે છે તેમ તમામ સારી બાબતોનો ક્યારેક અંત આવે છે. અપાર કૃતજ્ઞતા સાથે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. પ્રેમ અને સમર્થન માટે આભાર!”

સોશિયલ મીડિયા પર પોસ્ટમાં, પૂજારાએ તેને સમર્થન આપનાર સાથી ખેલાડીઓ, કોચ અને અન્ય લોકોનો અભાર માન્યો.

પોસ્ટમાં પુજારાએ લખ્યું, “મારા માતા-પિતા સહકારથી રાજકોટ જેવા નાના શહેરનો એક નાનો છોકરો તારાઓ સુધી પહોંચવાના સપના જોઈને નીકળ્યો હતો; અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે મને ખબર નહોતી કે આ રમત મને આટલી બધી અમૂલ્ય તકો, અનુભવો, હેતુ, પ્રેમ અને સૌથી ઉપર મારા રાજ્ય અને આ મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક આપશે.”

નોંધનીય છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) યુવા ખેલાડીઓને વધુ તક આપી રહી હોવાથી, પુજારાને ઘણા સમયથી ભારતીય ટેસ્ટ ટીમના સ્થાન મળ્યું ન હતું.

પુજારા એ લખ્યું કે તે જીવનના નવ તબક્કા તરફ આગળવધી રહ્યો છે, હવે તે પરિવાર સાથે વધુ સમય વિતાવશે.

આપણ વાંચો:  વાનખેડેમાં સ્ટૅચ્યૂના અનાવરણ વખતે સુનીલ ગાવસકર ભાવુક થયા…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button