‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે બજરંગ પૂનિયા, વડા પ્રધાન મોદીના નામે પત્ર લખી કરી જાહેરાત | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે બજરંગ પૂનિયા, વડા પ્રધાન મોદીના નામે પત્ર લખી કરી જાહેરાત

નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.

આ વર્ષની શરૂઆતથી ભારતીય કુસ્તીબાજોનો એક વર્ગ ભારતીય કુસ્તી મહાસંઘમાં બ્રિજભૂષણ શરણ સિંહની ચાલી રહેલી મનમાની અને તાનાશાહીનો વિરોધ કરી રહ્યો છે. બ્રિજભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો પણ આરોપ છે. બ્રિજભૂષણ શરણ સિંહ ભાજપના સાંસદ છે અને લાંબા સમયથી ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ છે.

તાજેતરમાં કુસ્તીબાજોના લાંબા આંદોલન બાદ તેમને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. જો કે જે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે તે પણ બ્રિજભૂષણના નજીકના સાથી છે. આવી સ્થિતિમાં છેલ્લા ૧૧ મહિનાથી ચાલી રહેલા કુસ્તીબાજોનું આંદોલનનું કાંઇ પરિણામ મળ્યું નહીં. આ જ કારણ છે કે બજરંગ પૂનિયાએ પોતાનો પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button