સ્પેશિયલ ફિચર્સ

હમણાં કોઈને ન કહેતાઃ વહુ કે દીકરીની પ્રેગનન્સી ત્રણ મહિના સુધી કેમ છુપાવાય છે?

કોઈપણ ઘરમાં નવદંપતીને ત્યાં પારણું બંધાય તો આખો પરિવાર ખુશ થઈ જાય છે. એક સ્ત્રી માટે તો માતા બનવું સૌથી સુંદર અનુભવ હોય જ છે, પણ આખા ઘર-પરિવાર માટે ઘરમાં નવા મહેમાન આવવાની ખુશી હોય છે, પરંતુ આ ખુશી અન્ય લોકોથી છુપાવાય છે. વહુ પ્રેગનન્ટ છે તે જાણમાં આવે કે તરત જ ઘરમાં વડીલો દ્વારા કહેવાય છે કે હમણા કોઈને કહેશો નહીં. લગભગ ત્રણ કે ચાર મહિના સુધી આ ખુશખબરી કોઈની સાથે શેર થતી નથી.

Also read : Viral Video: બીમાર મહાવતને કંઈક આ રીતે મળવા પહોંચ્યા ગજરાજ…

આનું કારણ શું છે. ના કોઈ ધાર્મિક કારણ નથી, પરંતુ આ પાછળ મેડિકલ સાયન્સ અને તેની સાથે જોડાયેલું સામાજિક કારણ છે. વાત એમ છે કે ટ્રાઈમેસ્ટર એટલે કે કન્સીવ કર્યાના પહેલા ત્રણ મહિના મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર આવે છે. આ સમય દરમિયાન ડોક્ટરો પણ તેમને ખાસ ધ્યાન રાખવા કહે છે. સામાન્ય રીતે આ ત્રણ મહિના દરમિયાન કોઈપણ કારણસર કસુવાવડ કે મિસકેરીજ થવાની શક્યતા વધારે હોય છે.

Also read : વેકેશન ટ્રીપ પ્લાન કરો છો? આ દેશ જેવું સસ્તું અને સરળ ઑપ્શન બીજું નહીં મળે

આથી એકવાર બધુ સુખરૂપ પાર પડે પછી જ લોકોને આ વિશે કહેવાય છે. આ સાથે ઘણા વડિલો અને ખાસ કરીને ઘરની મોટી ઉંમરની મહિલાઓ એમ પણ માને છે કે વહુને કોઈની નજર ન લાગી જાય તે માટે પણ ત્રણ મહિના સુધી તેની પ્રેગનન્સી વિશે કોઈને જાણ કરવામાં આવતી નથી. આ સમય દરમિયાન એટલે કે કન્સીવ કર્યાના છથી આઠ મહિનામાં નક્કી થાય છે કે બાળકનો ગ્રોથ કેટલો અને કેવો રહેશે. આથી આ બધું નક્કી થાય, બાળક બરાબર ગ્રો થાય છે, તે સ્વસ્થ છે તે જાણમા આવ્યા બાદ જ પરિવાર જાહેર કરે છે કે તેમના ઘરે નવા મહેમાનની કિલકારી ગુંજશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button