પુત્રદા એકાદશીનો શુકનવંતો દિવસ ક્યારે છે, જાણો તારીખ, વાર અને શુભ મુહૂર્ત | મુંબઈ સમાચાર

પુત્રદા એકાદશીનો શુકનવંતો દિવસ ક્યારે છે, જાણો તારીખ, વાર અને શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનાના પ્રારંભથી જ તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. દરેક તહેવારોનું અનોખું મહત્વ હોય છે. ત્યારે શ્રાવણ સુદ અગિયારસને પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના માટે સમર્પિત છે. આ દિવસે વ્રત રાખવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, એવું માનવામાં આવે છે. જે માતા દ્વારા આ વ્રત કરવામાં આવે છે તેના બાળકને ભગવાન વિષ્ણુનું રક્ષણ પ્રાપ્ત થાય છે. આ વર્ષે પુત્રદા એકાદશી 5 ઓગસ્ટ 2025ના રોજ રવિવારના દિવસે ઉજવાશે.

વૈદિક પંચાંગ અનુસાર, શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 4 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 11:41 વાગ્યે શરૂ થશે અને 5 ઓગસ્ટના બપોરે 1:14 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય સમયે એકાદશી તિથિ હોવાથી આ વ્રત 5 ઓગસ્ટે રાખવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી વ્રતનું પાલન કરશે.

શુભ મુહૂર્ત અને યોગ

પુત્રદા એકાદશી નિમિત્તે શુભ મુહૂર્તોનું પણ અનેરુ મહત્વ હોય છે. આ દિવસે સવારે 4:21થી 5:01 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત અને બપોરે 12:00થી 12:53 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત રહેશે. આ બંને મુહૂર્તો ઉત્તમ ગણાય છે, અને આ સમયે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના સંયોગમાં રવિ યોગથી આ દિવસનું મહત્વ વધી જાય છે.

પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ

પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રત રાખનારા દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે, અને જે માતાઓ આ વ્રત શ્રદ્ધાથી રાખે છે, તેમના બાળકોનું રક્ષણ ભગવાન વિષ્ણુ દ્વારા થાય છે. આ ઉપરાંત, આ વ્રતથી માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે. એક શ્રાણવ માસમાં અને બીજી પોષ માસમાં અને બંને દિવસો ભક્તો માટે ખૂબ જ પવિત્ર ગણાય છે.

આપણ વાંચો:  શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button