આ ઔષધિ તમારી પથરીને જડમૂળથી દૂર કરશે

વિદેશી કલ્ચરમાં રહેતા લોકો તમામ રોગની સારવાર દવાથી કરવામાં માનતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે વિદેશી દવા રોગને અસર કરતી નથી અને લોકોને રોગથી વારંવાર પિડાવું પડે છે. આવા સમયે પુરાતત્વોમાં આપેલા આયુવેર્દીક નુકસા આપણા માટે રામબાણ બની જાય છે. કેટલીક આયુર્વેદીક દવા તો રોગ સાથે સામાન્ય જીવન માટે ગુણકારી હોય છે. લોકવાયકા પ્રમાણે દાયકાઓ પહેલા જે વૃક્ષ કે છોડ આપણને આયુર્વેદીક રીતે મદદ રૂપ બને છે તેને આપણે ધાર્મિક રીતે જોવાનું શરૂ કર્યું હતું.
ભારતમા તમામ સ્થાન અને વૃક્ષોનું અનેરુ મહત્વ હોય છે. એવી રીતે તુલસી છોડને પણ પવિત્ર ગણવામાં આવે છે. જે ઘરોમાં પૂજાય છે અને ધાર્મિક વિધિઓમાં વપરાય છે. પરંતુ તેનું મહત્વ ફક્ત ધાર્મિક નથી, તે ઔષધીય ગુણોનો પણ ખજાનો છે. તુલસીમાં વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ અને સોડિયમ જેવા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને, કિડનીની પથરીની સમસ્યાનો ઉકેલ કરવામાં ગુણકારી સાબિત થાય છે. આજે આ સમસ્યા ખૂબ સામાન્ય બની છે, અને તુલસી તેનો ઘરેલું ઉપચાર બની શકે છે.

કિડનીની પથરી ખોટા આહાર, ઓછું પાણી પીવું કે ખરાબ જીવનશૈલીને કારણે થઈ શકે છે. આમાં પીઠના નીચેના ભાગે, પેટમાં કે મૂત્રમાર્ગમાં તીવ્ર દુખાવો થાય છે. આ ઉપરાં કિડનીની પથ્થરીમાં ઉલટી, ઊબકા, વારંવાર પેશાબ આવવો, ઠંડી લાગવી કે વધુ પરસેવો થવો જેવા લક્ષણો પણ દેખાય છે. જો સમયસર ઈલાજ ન થાય, તો પથરીનું કદ વધી શકે, જે ગંભીર સમસ્યા બની શકે.
તુલસીની ચા કિડનીની પથરી દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું એસિટિક એસિડ દુખાવો ઘટાડે છે અને નાની પથરીને ઓગાળીને પેશાબ દ્વારા બહાર કાઢે છે. તુલસીના એન્ટિ-લિથિયાસિસ ગુણો પથરીનું કદ ઘટાડે છે અને નવી પથરી બનતી અટકાવે છે. દરરોજ તુલસીની 4-5 પાનની ચા પીવાથી ફાયદો થઈ શકે. ચાને મધ સાથે લઈ શકાય, પરંતુ ખાંડ ટાળવી.
પથરીનો ઈલાજ દવાઓ કે સર્જરી દ્વારા પણ થઈ શકે, પરંતુ તુલસી જેવા ઘરેલું ઉપાયો પ્રાકૃતિક અને સરળ છે. નિયમિત પાણી પીવું, સ્વસ્થ આહાર અને વ્યાયામ પણ મહત્વના છે. તુલસીનો ઉપયોગ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, ખાસ કરીને જો પથરી મોટી હોય.