સ્પેશિયલ ફિચર્સ

આ ત્રણ ખોરાકથી હૃદયની બીમારીથી બચી શકાશે , દરરોજ ખાવાથી થશે આ ફાયદા…

આજના સમયમાં હૃદય રોગનું જોખમ ખૂબ જ વધી ગયું છે. લોકોની જીવનશૈલીમાં પરિવર્તન, અસંતુલિત ખાવાની આદતો અને શારીરિક કસરતના અભાવથી હૃદય રોગનુજોખ્મ વધી જતું હોય છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યોગ્ય અને પૌષ્ટિક આહારના નિયમિત સેવનથી હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. ત્યારે જો તમે તમારા આહારમાં શામેલ કરવાથી તમે હૃદય રોગનું જોખમ ઘટાડી શકો છો.

લસણ

તમારા આહારમાં લસણનો સમાવેશ કરો. લસણમાં હાજર એલિસિન સંયોજન રક્તવાહિનીઓને આરામ આપે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે. તેથી, લસણને કાચું અથવા ચા તરીકે ખાઓ.

ચિયા સીડ્સ

સીડ્સ ખાવાથી મોટાભાગની બીમારીઓમાં રાહત મળતી હોય છે. હૃદય રોગ માટે પણ સીડ્સ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે હૃદય રોગ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જેથી તમે હૃદય રોગના જોખમને ઘટાડવા માંગતા હોય તો તમારે તમારા આહારમાં ચિયા સીડ્સનો સમાવેશ કરવો જોઈએ. દરરોજ 2 ચમચી ખાવાથી ઘણા ફાયદા થાય છે.

દાડમ

દાડમ ખાવાથી, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને એલડીએલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે જ્યારે HDLના સ્તરમાં પણ નોંધપાત્ર રીતે વધારો થાય છે. દરરોજ નાસ્તામાં દરરોજ 1 દાડમ અથવા તમે તેને અઠવાડિયામાં 2-3 વખત ખાઈ શકો છો.આનાથી તમે હૃદય રોગના જોખમથી બચી શકો છો. અને આયુર્વેદ અનુસાર દાડમ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું ફળ છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button