સ્પેશિયલ ફિચર્સ

Health: Uric Acidની ગંભીર સમસ્યા નિવારવાનો આ છે સરળ ઉપાય

જો તમારું શરીર પ્રોટીનને યોગ્ય રીતે પચાવી શકતું નથી, તો પ્રોટીનમાંથી નીકળતું વેસ્ટ પ્યુરિન શરીરમાં વધે છે અને આ યુરિક એસિડ વધારવાનું કામ કરે છે. જ્યારે આ યુરિક એસિડ અતિશય વધી જાય છે અને હાડકામાં જમા થવા લાગે છે ત્યારે તે સાંધાની વચ્ચે સોજો પેદા કરે છે અને પછી તે યુરિક એસિડ વધારવાનું કામ કરે છે. હાડકાની બીમારી સહિતની શરીરની ઘણી સમસ્યાઓ માટે યુરિક એસિડ જવાબદાર છે. આ સમસ્યા ગંભીર છે, પરંતુ અમે તમને તેનો સરળ ઉપાય બતાવીએ છીએ. આ માટે તમારે તમારા આહારમાં ઓટ્સનો ઉમેરો કરવાનો છે.

ઓટ્સમાં 100 ગ્રામ દીઠ 50 થી 150 મિલિગ્રામ પ્યુરિન હોય છે. પરંતુ, તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે પ્યુરિનને પચાવવામાં અસરકારક રીતે કામ કરે છે. હકીકતમાં, તે શરીરમાંથી પ્યુરિક કણોને શોષી શકે છે અને સ્ટૂલ દ્વારા તેને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે પ્યુરિન પાચનના મેટાબોલિક રેટને વધારે છે, જે યુરિક એસિડની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે, તો મેથીના દાણાનો આ ઉપચાર અજમાવો

યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરના કહેવા અનુસાર તમને ઉચ્ચ યુરિક એસિડની સમસ્યા અથવા સંધિવા હોય, તો તમારે અઠવાડિયામાં બે વાર ઓટ્સ ખાવા જોઈએ. આમાં તમારે શાકભાજીનો પણ સમાવેશ કરવો જોઈએ જે યુરિક એસિડની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. તેથી, જો તમારું યુરિક એસિડ વધી ગયું હોય તો તમારે શાકભાજી સાથે બાફેલા ઓટ્સ લેવા જોઈએ. આમ કરવાથી તમને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. જેમ કે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ નિવારી શકાય છે.

તો જો તમારા નિષ્ણાત સલાહ આપતા હોય તો આ પ્રયોગ કરવા જેવો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ