આ લોકોના મૃત્યુ બાદ પણ તેના માટે નથી કરવામાં આવતું શ્રાદ્ધ, આ વિધિ કરવાથી મળશે મોક્ષ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આ લોકોના મૃત્યુ બાદ પણ તેના માટે નથી કરવામાં આવતું શ્રાદ્ધ, આ વિધિ કરવાથી મળશે મોક્ષ

હિંદુ ધર્મમાં પિતૃપક્ષ(Pitrupaksh) દરમિયાન પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને પરિવારને આશીર્વાદ આપે છે.

શ્રાદ્ધથી પૂર્વજોના આત્માને મોક્ષ મળે છે અને પિતૃદોષ દૂર થાય છે. પરંતુ, ગર્ભમાં મૃત્યુ પામેલા બાળકોના શ્રાદ્ધ અંગે ઘણા લોકોના મનમાં સવાલો ઉભા થાય છે. આવા બાળકો માટે શું શ્રાદ્ધ કરવું જોઈએ? અને બાળકો માટે શ્રાદ્ધના નિયમો શું છે?

આપણ વાંચો: પિતૃપક્ષમાં કયા કાર્યો કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે? જાણો આ 4 સરળ ઉપાય

બાળકોનું શ્રાદ્ધ

શાસ્ત્રો અનુસાર, જો કોઈ બાળક ગર્ભમાં મૃત્યુ પામે તો તેનું પરંપરાગત શ્રાદ્ધ કરવામાં આવતું નથી. આવા અજાત બાળકના આત્માની શાંતિ માટે ‘મલિન ષોડશી’ નામની ખાસ વિધિ કરવામાં આવે છે.

આ વિધિ મૃત્યુ બાદથી અંતિમ સંસ્કાર સુધી કરવામાં આવે છે, જે આત્માની શાંતિ અને પરિવારને અશુભ અસરોથી બચાવવા માટે હોય છે. આ ઉપરાંત, નવજાત શિશુઓ અથવા 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ શ્રાદ્ધ નથી કરવામાં આવતું, ફક્ત મલિન ષોડશી અને તર્પણ જ કરવામાં આવે છે.

આપણ વાંચો: આપણને જીવન મળ્યું છે ત્યારે શાંતિથી વિચારીએ,આપણે પરમાત્માથી વિમુખ કેમ છીએ ?

બાળકોના શ્રાદ્ધના નિયમો

જે બાળકોનું મૃત્યુ 6 વર્ષથી વધુ ઉંમરે થાય છે, તેમનું શ્રાદ્ધ તેમની મૃત્યુ તિથિએ કરવામાં આવે છે. જો મૃત્યુની તારીખ ખબર ન હોય, તો તેરશની તિથિએ પૂર્ણ વિધિ સાથે શ્રાદ્ધ કરવું જોઈએ.

આ વર્ષે તેરશની તિથિ 19 સપ્ટેમ્બરે આવશે, જે દિવસે તર્પણ કરવાથી બાળકના આત્માને મુક્તિ મળે છે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પરંપરાગત શ્રાદ્ધ કે વાર્ષિક શ્રાદ્ધ નથી કરવામાં આવતું, માત્ર તર્પણ અને મલિન ષોડશી વિધિ જ પૂરતી છે.

તર્પણનું મહત્વ અને જન્મ વિશે

જ્યોતિષીઓ અનુસાર, ગર્ભમાં કે નવજાત અવસ્થામાં મૃત્યુ પામેલા બાળકોના આત્મા ભૂતલોકમાં રહે છે. તેમના નામે તર્પણ કરવાથી તેઓ પિતૃ બનીને મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી, નવજાત શિશુઓ માટે શ્રાદ્ધ કે પિંડદાન નહીં, પરંતુ ફક્ત તર્પણ કરવું જરૂરી છે.

ઉપરાંત, પિતૃપક્ષ(Pitrupaksh) માં જન્મેલા બાળકો વિશે એવું માનવામાં આવે છે કે તેઓ ઉંમર કરતાં વધુ સમજદાર અને જ્ઞાની હોય છે. આવા બાળકો પરિવાર પ્રત્યે લગાવ ધરાવે છે અને સમાજમાં પોતાના કાર્યોથી નામના મેળવે છે, પરંતુ તેમની કુંડળીમાં ચંદ્રનું સ્થાન નબળું હોઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button