સ્પેશિયલ ફિચર્સ

જો તમે કેળું ખાધા પછી આ કામ કરશો તો તમને ભારે પડશે…

સ્વસ્થ અને સુઘળ જીવન જીવવા માટે યોગ્ય ખોરક યોગ્ય સમય પર લેવો જરૂરી છે. આજના સમયમાં લોકો હેલ્થ કોન્સિયસ બન્યા છે. પરંતુ ઘણી વખત આરોગ્યપ્રદ ખોરાક લેવાનો યોગ્ય સમય અને રીત ખબર ન હોવી પણ કેટલીક સમસ્યાને આમંત્રણ આપવા બરાબર જ છે. આયુર્વેદ પ્રમાણે આપણ શરીર માટે ફ્રૂટ ખુબ જ જરૂરી આહાર છે. એમાં પણ કેળું એક એવું ફળ છે, સસ્તું હોવા સાથે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર છે.

કેળું ખાધા પછી શું ન કરવું જોઈએ?
રોજ એક કેળું ખાવાથી તાત્કાલિક ઊર્જા મળે છે, શરીર મજબૂત બને છે, પેટની સમસ્યાઓ દૂર થાય છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. જોકે, આ ફાયદા ત્યારે જ મળે છે જ્યારે કેળું યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવામાં આવે. ખોટી રીતે કેળું ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, કેળું ખાધા પછી તરત પાણી પીવું ટાળવું જોઈએ. કેળું પચવામાં સમય લે છે, અને તેની સાથે પાણી પીવાથી ગેસ, એસિડિટી, કબજિયાત કે પેટમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત, કેળું ખાધા પછી પાણી પીવાથી શરદી, ઉધરસ કે એલર્જીની સમસ્યા થઈ શકે છે. આનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે, જે બ્લડ શુગરની સમસ્યા ઉભી કરી શકે છે.

શું નુકસાન થશે?
કેળું ખાધા પછી ઓછામાં ઓછો એક કલાક સુધી પાણી કે કોઈપણ પ્રવાહી પદાર્થ ન લેવું જોઈએ. આ નિયમ અન્ય ફળો માટે પણ લાગુ પડે છે. કેળાને દૂધ, દહીં, છાશ, મધ, ઘી કે ઈંડા સાથે ખાવું ટાળવું જોઈએ, કારણ કે આનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને શરીરને નુકસાન થઈ શકે છે.

આયુર્વેદમાં રાત્રે કેળું ખાવાની મનાઈ છે, કારણ કે તેની તાસીર ઠંડી હોય છે અને તે ધીમે ધીમે પચે છે. ખાસ કરીને જેમને કફની સમસ્યા હોય તેમણે કેળું ખાવાનું ટાળવું જોઈએ. સવારે ખાલી પેટે કેળું ખાવાથી કેટલાક લોકોને ગેસ કે એસિડિટી થઈ શકે છે. તેથી કેળું ખાવાનો શ્રેષ્ઠ સમય નાસ્તા દરમિયાન કે તેની સાથે માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button