'આધાર' વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે | મુંબઈ સમાચાર
Top Newsસ્પેશિયલ ફિચર્સ

‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે

નવી દિલ્હી: રેલવે ટિકિટનાં બુકિંગમાં થતા દુરુપયોગને રોકવા રેલવેએ મોટું પગલું લીધું છે. આવતા મહિનાથી ઑનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે.

પહેલી ઑક્ટોબરથી રિઝર્વેશન ખૂલ્યા બાદ પહેલી ૧૫ મિનિટ માત્ર એ લોકો જ ટિકિટ બુક કરી શકશે જેમનાં આધાર કાર્ડનું વેરિફિકેશન થઈ ગયેલું છે. આ નવો નિયમ આઈઆરસીટીસીની વૅબસાઈટ અને મોબાઈલ ઍપ એમ બંને પર લાગુ પડશે.

ભારતીય રેલવેનો ઈરાદો ટિકિટ રિઝર્વેશન સિસ્ટમના દુરુપયોગને રોકવાનો અને અસલી યાત્રીઓને પ્રાથમિકતા આપવાનો છે. વર્તમાનમાં આ પ્રતિબંધ માત્ર તત્કાલ બુકિંગ માટે જ છે.

જોકે બુકિંગ કાઉન્ટર પરથી મળતી ટિકિટના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. નવો નિયમ માત્ર ઑનલાઈન ટિકિટિ બુકિંગને જ લાગુ પડશે એવી સ્પષ્ટતા રેલવે અધિકારીઓએ કરી હતી. સત્તાવાર ટિકિટ એજન્ટો માટે અગાઉથી અમલી ૧૦ મિનિટની પાબંદી ચાલુ રહેશે.

રેલવે તંત્રનું માનવું છે કે આ નિર્ણયને કારણે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને દલાલો તેમ જ એજન્ટો દ્વારા ટિકિટ બ્લૉક કરવામાં આવતી હોવા પર અંકુશ આવશે અને પ્રવાસીઓને પ્રારંભિક સમયમાં ટિકિટ બુક કરવાની વધુ સારી તક મળશે.

આ પણ વાંચો…રેલવે દ્વારા ત્રણ ‘પૂજા સ્પેશિયલ’ ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર અને ક્યારે દોડશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button