ત્રિશંકુના સ્વર્ગારોહણથી આજના હવન સુધી: જાણો નારિયળનો સંપૂર્ણ ઈતિહાસ અને આધ્યાત્મિક મહિમા

સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિમાં પૂજા-પાઠની વાત આવે ત્યારે તેની સમાગ્રીમાં પહેલુ નામ નારિયળનું લખવામાં આવે છે. જેને શ્રી ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવું પવિત્ર ફળ છે જે ઈશ્વરને અર્પણ કરવાથી લઈને હવનની પૂર્ણાહુતિ કે મંદિરના પ્રસાદ સુધી બધી વિધિઓને મહત્વ આપવામાં આવે છે. આ ફળ માત્ર ધાર્મિક નથી, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ અમર છે. મલેશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના ટાપુઓ સુધી નારિયળનું વિસ્તરણ આપણને તેના પ્રાચીન મૂળ તરફ લઈ જાય છે.
પૌરાણિક કથાઓમાં નારિયળનું સ્થાન
ભારતીય પૌરાણિક કથાઓમાં નારિયળને ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે, જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું માનવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય, ધન, સંતાન અને સમૃદ્ધિ આપે છે. પૌરાણિકથા પ્રમાણે એક સમયે રાજા ત્રિશંકુ સ્વર્ગમાં પ્રવેશવાની ઈચ્છા રાખી હતી. પરંતુ સ્વર્ગમાં પ્રવેશતાની સાથે દેવ ઈન્દ્રએ તેને ધક્કો માર્યો હતો. જ્યારે ઋષિ વિશ્વા મિત્ર તેને સહારો આપવા માટે એક ઊંચા તાડનો ઉપયોગ કર્યો હતો. જે નાળિયેલી ઝાડ તરીકે વર્તાયું હતું.

ધાર્મિક વિધિઓમાં નારિયળનું પ્રતીકાત્મક મહત્વ
ધાર્મિક વિધિઓમાં નારિયળને ‘શ્રીફળ’ ઓળખવામાં આવે છે, જે ભગવાનનું ફળ છે અને મંદિરોમાં સૌથી પ્રિય ભેટ છે. તેનો પ્રસાદ બનાવી પણ વહેંચવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પૂજારીઓ તેને અનટૂટો નથી સ્વીકારતા, કારણ કે તેનું બાહ્ય છાલ અહંકારનું પ્રતીક છે, તોડવાથી મન શુદ્ધ બને છે અને ભક્તિનો રસ જળ જેવો વહે છે. તેની ત્રણ આંખો ભૂત, વર્તમાન, ભવિષ્ય અથવા સત્વ, રજસ, તમસ ગુણોનું પ્રતીક છે. જન્મ, લગ્ન, મૃત્યુ જેવા જીવનસંસ્કારોમાં તે અનિવાર્ય છે, અને અહિંસાના પ્રભાવથી નરબલિનું સ્થાન શ્રીફળ બલિ બની. શ્રીકુળની દેવીઓ માટે નારિયળ બલિ સમાન માનવામાં આવે છે. જ્યારે મધ્યપ્રદેશના કોલ જાતિવાળા તેને ખોપરી માનીને દેવીઓને અર્પણ કરે છે.
નારિયળનો ઇતિહાસ
નારિયળનો પ્રથમ ઉલ્લેખ 1030 ઈ.સ.માં અલ-બરુનીના લેખોમાં મળે છે, જ્યારે પ્રખ્યાત યાત્રી ઇબ્ન બતુતાએ 1333માં તેને “અમૃત જેવું ફળ” કહ્યું, જેમાંથી શહેંશ મળે છે અને તેને ભારત, યમન તથા ચીનના વેપારીઓ લાલચથી ખરીદીને મીઠાઈઓ બનાવે છે. વેનેશિયન સાહસિક માર્કો પોલો (1254-1324)ને તો સુમાત્રા, ભારત અને નિકોબાર ટાપુઓ પર નારિયળ જોઈને તેને “ફિરૌનનું નટ” કહેવામાં આવ્યું, જ્યારે મિસરના પ્રાચીન શાસકો તેને પસંદ કરતા હતા. સંસ્કૃત ગ્રંથોમાં તે ધાર્મિક, કૃષિ અને આયુર્વેદિક રૂપે દેખાય છે. મહાભારત, રામાયણ, જાતક કથાઓ અને મહાવંશ જેવા ગ્રંથોમાં તેની ચર્ચા મળે છે, જે દર્શાવે છે કે નારિયળનું મહત્વ શતાબ્દીઓ જૂનું છે.
આપણ વાંચો: શરદ પૂર્ણિમા: જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને તેનું ધાર્મિક મહત્વ