દુનિયાનું સૌથી ઊંચુ શિખર હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ છે, એ તો બધા જાણે છે, પણ શું તમે જાણો છો કે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર લાશોના ઢગલા છે? કદાચ નહીં જાણતા હો. તો તમને જણાવી દઇએ કે માઉન્ટ એવરેસ્ટ પર 200થી વધુ લાશો પડી છે.
માઉન્ટ એવરેસ્ટ પર્વતારોહકો માટે મોટુ આકર્ષણ છે. દર વર્ષે ઘણા લોકો એવરેસ્ટ પર પર્વતારોહણ કરવા જતા હોય છે. પર્વતારોહણ કરતી વખતે ઘણી વાર તેઓ સંતુલન ખોઇ બેસે છે ને ખાઇમાં પડી જાય છે. આવા સંજોગોમાં તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. એ ઉપરાંત ઘણી વાર પાતળી હવા અને ઓછા ઑક્સિજનને કારણે પણ કેટલાક પર્વતારોહકોનું મૃત્યુ થતું હોય છે. અહીં હાડ થિજાવતી ઠંડીમાં લોકો માટે એક એક ડગલું ભરવું મુશ્કેલ બનતું હોય છે. એવામાં આવી વિષમ આબોહવા અને પરિસ્થિતિમાં જાન ગુમાવતા લોકોના મૃતદેહને નીચે લઇ જવા એ પણ મોટી સમસ્યા થઇ જાય છે. તેથી લોકો મૃત્યુ પામનારાઓની લાશોને અહીં છોડીને જ આગળ વધવાનું મુનાસિબ માને છે. અને આમ અહીં લાશોના ઢગલા થતા જાય છે.
એવામાં જ્યારે બીજું કોઇ ગ્રુપ એવરેસ્ટ સર કરવા ઉપર જાય છે તો રસ્તામાં એમનો સામનો અહીં પડેલી લાશો સાથે પણ થાય છે. કેટલીક લાશ તો ઘણા વર્ષોથી અહીં પડી હોય છે. આખા વર્ષ દરમિયાન અહીંનું તાપમાન ઘણું ઓછું હોવાથી લાશો સડતી નથી, પણ આ દ્રશ્ય જોવું ઘણું ડરાવણુ હોય છે. દિલના કાચાપોચા લોકો તો આવી લાશોને જોઇ શકે એમ જ નથી.
કદાચ આ કારણે જ દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને દુનિયાના સૌથી ઊંચા સ્મશાન ઘાટનું બિરૂદ મળ્યું છે.
Astrology marriage dates warning
Astrologers issue a cautionary note against specific marriage dates due to planetary alignments. The belief is that certain dates may not be auspicious for marriage, based on astrological interpretati