ક્યારે છે ગોપાષ્ટમી?: ગૌપૂજાના આ ખાસ દિવસની જાણો પૂજાવિધિ અને મહાત્મ્ય...
સ્પેશિયલ ફિચર્સ

ક્યારે છે ગોપાષ્ટમી?: ગૌપૂજાના આ ખાસ દિવસની જાણો પૂજાવિધિ અને મહાત્મ્ય…

નાનપણથી જ આપણે ગાયને માતા કહેવાનું બાળકોને શિખવાડીએ છીએ. હિન્દુધર્મમાં ગાય પવિત્ર પ્રાણી છે અને તેની પૂજાનું મહાત્મ્ય છે. આમ તો રોજ આપણે ગાય સહિત તમામ પ્રાણીઓનું જતન કરવું જોઈએ, પણ ખાસ આજના દિવસે ગૌપૂજાનું વિશેષ મહત્વ છે. આજે ગોપાષ્ટમી છે.

આજના દિવસે ગૌસેવા કરવાનું મહાત્મ્ય અલગ છે. જીવનમાં આવતા દુઃખો અને બીમારીઓથી મુક્તિ મેળવવા માટે આજે ગૌમાતાની પૂજા કરવામાં આવે છે. વૈષ્ણવ હવેલીઓમાં ખાસ માહોલ આજે હોય છે.

ગોપાષ્ટમી 2025 માટે શુભ મુહૂર્ત

પંચાંગ મુજબ, આ વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 29 ઓક્ટોબર, 2025 બુધવારના રોજ સવારે 9:23 વાગ્યે શરૂ થશે અને 30 ઓક્ટોબર, 2025 ગુરુવારના રોજ સવારે 10:06 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદય તિથિને આધાર માનીએ તો આ વર્ષે ગોપાષ્ટમીનો પવિત્ર તહેવાર ગુરુવાર, 30 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવાનો રહેશે. ગોપાષ્ટમીના દિવસે સૂર્યોદય પછી સવારે 10:06 વાગ્યા સુધી ગોપાષ્ટમી પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે.

ગોપાષ્ટમી પર ગાયની પૂજા કેવી રીતે કરવી?

હિન્દુ માન્યતા અનુસાર ગોપાષ્ટમી પર ગાય અને તેના વાછરડાની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે. ગાયોની સેવા કરવા માટે, વ્યક્તિએ પહેલા આ દિવસે સ્નાન અને ધ્યાન કરવું જોઈએ, પછી ગાયની પૂજા કરી આશીર્વાદ મેળવવા જોઈએ. ત્યારબાદ, ગાય અને પશુઓને સ્નાન કરાવીને તેમને શુદ્ધ કરવા જોઈએ.

ત્યારબાદ ગાયના શરીરને સૂકવીને તેના શિંગડા પર કાળો રંગ લગાવો. કંકુ અથવા ચંદનથી ગાયને તિલક કરવું અને ફળો, ફૂલો, અર્પણ કરવા. મંત્રજાપ કરવો અને અંતમાં અચૂક આરતી કરવી.

નોંધઃ આ માહિતી પ્રાથમિક છે. તમે તમારા પંડિતને પૂછી પૂજાવિધિ કરો તે સલાહભર્યું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button