ભગવાન દરેક જગ્યાએ છે તો પછી તીર્થયાત્રા પર જવાની શું જરૂર? પ્રેમાનંદ મહારાજે આપ્યો એવો જવાબ કે…

જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર તમે પણ ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે મથુરા-વૃંદાવન-મથુરાના પ્રેમાનંદ મહારાજ કોણ છે? પ્રેમાનંદ મહારાજની ફેન ફોલોઈંગ તગડી છે અન અને દેશ-વિદેશથી લોકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને પહોંચે છે. આ જ પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તીર્થયાત્રા કેમ જરૂરી છે? ચાલો જોઈએ શું કહ્યું પ્રેમાનંદ મહરાજે..
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિએ પ્રેમાનંદ મહારાજને સવાલ કર્યો કે ભગવાન કણ-કણમાં છે તો અમારે ધાર્મિક સ્થળો કે તીર્થ સ્થળો પર જવું જોઈએ કે નહીં? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મહેંદીમાં લાલિમા હોય છે, જો તમે મહેંદીના છોડ પર કાપો મૂકો તો એમાં ક્યાંય લાલિમા નથી હોતી.
તેમણે આગળ એવું જણાવ્યું હતું કે એ જ રીતે અધ્યાત્મની શક્તિ છે. જેમ ગંગાજીમાં સ્નાન કરીને સારું લાગે છે, પણ ગંગાજીને મેલી કરશો કે તેમાં કચરો ફેંકશો તો કંઈ અનુભવ નહીં થાય. જો ગંગાજીના દર્શન માટે જાવ છો તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગંગાજીનું જળ માથે ચઢાવો અને ત્યાર બાદ પાંચથી સાત વખત ડુબકી લગાવો, એનાથી ખૂબ જ સારો અનુભવ થશે.
વીડિયોમાં તેમણે એવું પણ કહ્યું કે જો એ જ રીતે તમે વૃંદાવન આવી રહ્યા છો તો પરિક્રમા કરો, બાંકે બિહારીના દર્શન કરો. આ સાથે જ કોઈનું કંઈ આપેલું છે તો તે ના ખાવ. માથા પર રજરાની લગાવો અને નામ જપ કરો. આ પરમ પવિત્ર સ્થળ એટલે બનાવવામાં આવ્યા છે કે આપણને અધ્યાત્મનો સહવાસ મળે. જે ભૂલો આપણાથી થઈ છે તે નષ્ટ થઈ જાય. તીર્થ એટલે બનાવવામાં આવ્યા છે જેથી એ સ્થળોએ જઈને આપણા કર્મ નષ્ટ થઈ જાય.
આપણ વાંચો: અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતાં બીએસએફ જવાનોને ફાળવાઈ જર્જરિત ટ્રેન, ફરિયાદ બાદ બદલવામાં આવી
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો તમે ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. પ્રેમાનંદ મહારાજ એ જ છે કે જેમને ટીમ ઈન્ડિયાના ખેલાડી વિરાટ કોહલી અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફોલો કરે છે. હાલમાં જ બંને જણ પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા.