દર વર્ષે રથયાત્રા માટે નવા રથ બનાવવામાં આવે છે તો જૂના રથનું શું થાય છે?

અષાઢ મહિનાની બીજ દિવસેના ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દુનિયાભરમાંથી હજારો લોકો આ રથયાત્રમાં ભાગ લેવા માટે પહોંચે છે.
ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા માટે ભક્તોમાં રસાકસી જોવા મળે છે, એવું કહેવાય છે કે આ રથ ખેંચવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે રથયાત્રા માટે નવા રથ બનાવવામાં આવે છો પછી આ જૂના રથનું શું કરવામાં આવે છે, એવો સવાલ થયો છે ક્યારેય? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આજે એટલે કે 27મી જૂનથી શરૂ થયેલી આ રથયાત્રા પાંચમી જુલાઈના સંપન્ન થશે. વાત કરીએ દર વર્ષે રથયાત્રા માટે નવા રથ બનાવવામાં આવે છે તો જૂના રથનું શું કરવામાં આવે છે, એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આજે અમે અહીં તમને આ વિશે જણાવીશું.
આપણ વાંચો: મોડાસા શહેરમાં શ્રી જગન્નાથજીની 43મી ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી…
મળતી માહિતી મુજબ ભગવાન જગન્નાથજી રથયાત્રા સંપન્ન થયા બાદ ત્રણેય પવિત્ર રથના ભાગને અલગ કરવામાં આવે છે અને એમાંથી કેટલાક ભાગની લિલામી એટલે કે હરાજી કરવામાં આવે છે, જેથી ભક્તો તેને પોતાના ઘરે રાખીને તેમની પૂજા વગેરે કરી શકે છે. આ પવિત્ર રથના નાના નાના ટૂકડાઓને પોતાની સાથે લઈ જવાનું સૌભાગ્ય માને છે.
કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર રથના ભાગને ઓક્શનમાં મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી પડે છે અને એ માટેની શ્રી જગન્નાથ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે.
આ બધામાં ભક્તો વચ્ચે રથના પૈડા મેળવવા માટે સૌથી વધુ હોડ જોવા મળે છે. જોકે, મંદિરના હિસ્સાની લિલામી વખતે એ વાતની ખાતરી કરવામાં આવે છે કે આ ભાગોનો દુરુપયોગ ના કરવામાં આવે, કારણ કે તે એક પવિત્ર ધરોહર સમાન છે.
આપણ વાંચો: સરસપુર મોસાળ ખાતે હવે રથયાત્રા વિરામ લેશે! પ્રસાદ લીધા બાદ નિજ મંદિર પરત ફરશે, જાણો લેટેટ્સ અપેડ્ટસ
આ ઉપરાંત આ રથની બાકીના લાકડાનો ઉપયોગ મંદિરની રસોઈમાં મહાપ્રસાદ પકાવવા માટે કરવામાં આવે છે. આ માટે આ લાકડાંને સીધા મંદિરના રસોડામાં મોકલાવી દેવામાં આવે છે, જેથાની પવિત્ર લાકડાંનો ઉપયોગ ભગવાનના મહાપ્રસાદ પકાવવા માટે ઈંધણ તરીકે કરવામાં આવે છે.
આ પણ એક અદ્ભૂત વાત છે કે જે લાકડામાંથી ભગવાનનો રથ બનાવવામાં આવે છે એ જ રથના લાકડામાંથી બાદમાં તેમનો ભોગનો પ્રસાદ બનાવવામાં આવે છે.
ચોંકી ઉઠ્યાને આ માહિતી જાણીને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…