શું તમે જાણો છે પુરીની જગન્નાથ રથયાત્રાની દસ રોચક વાતો…

પુરી: પુરીની જગન્નાથ રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાનો એક છે, જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. અષાઠી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નગરચર્યા પર નીકળે છે. ભગવાન અષાઢી બીજના દિવસે મામા ઘરે જાય ત્યારે તે નગરચર્યા પર નીકળે છે. આ દિવસ સાથે અનેક પૌરાણી કથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે. પરંતુ શું તમે જાણો છે રથયાત્રા સાથે ઘણી રસપ્રદ વાતો પણ જોડાયેલી છે.
⦁ ભગવાન જે રથ પર સવાર થઈ નગરચર્યા પર નીકળે છે તે રથ બે મહીના પહેલા એટલે કે અક્ષર તૃતીયાના દિવસથી બનાવવા શરૂ કરી દેવામાં આવે છે.

⦁ નવા રથ બનાવવાની કામગીરીમાં લગભગ જેમાં 200થી વધુ કારીગરો બે મહિના સુધી કામ કરે છે. 100થી વધુ કારપેન્ટર્સ કામ કરે છે. આ ઉપરાંત 1,000થી વધુ લાકડાના લોગ વડે રથ તૈયાર થાય છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ રથ ડિઝાઈન હંમેશા જે પહેલા હતી એ જ રાખવામાં આવે છે.
⦁ જ્યારે રથયાત્રા પૂર્ણ થયા બાદ થોડા દિવસમાં આ રથને અલગ કરી તેનો ઉપયોગ વિવિધ કાર્યમાં લેવાય છે.
⦁ આ રથયાત્રા દરમિયાન રથ પર જે છત્રીનો ઉપયોગ થાય છે. તે 1200 મીટર કાપડમાંથી બનાવવામાં આવે છે. જેને 15 દરજીઓની ટીમ દ્વારા બનાવવામાં આવે છે.

⦁ આ રથયાત્રા લગભગ ભારતમાં થતી તમામ રથયાત્રા કરતા મોટી છે. રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
⦁ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને ગુંડિચા મંદિરમાં લઈ જવામાં આવે છે, જે તેમની મોસાડ મંદિર છે. અહીં તેઓ 9 દિવસ રહે છે, અને જે બાદ તેઓ પાછા ઘરે ફરે છે તેને બાહુડા રથયાત્ર કહેવામાં આવે છે.
⦁ ગુંડિચા મંદિરમાં ભગવાન જગન્નાથને ‘પોડા પિઠા’ નામનો ખાસ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, લોકવાયકા પ્રમાણે ભગવાન જ્યારે મોસડમાં આવે છે, ત્યારે આ પ્રસાદ વગર પરત ફરતા નથી.

⦁ રથયાત્રાને ખેંચવા માટે નાળિયેરના રેસામાંથી બનાવેલા 8 ઇંચ જાડા દોરડાનો ઉપયોગ થાય છે. શાસ્ત્રો અનુસાર, “રથે ચ વામનં દૃષ્ટ્વા પુનર્જન્મ ન વિદ્યતે” એટલે કે રથ પર ભગવાન જગન્નાથના દર્શન કરનારને પુનર્જન્મ નથી મળતો.
⦁ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ 18 વર્ષ સુધી પુરીમાં રહ્યા અને રથયાત્રામાં સંકીર્તન અને નૃત્ય સાથે ભાગ લીધો. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથનો રથ તેમના નૃત્યને જોવા રોકાઈ જતો.

⦁ પુરીની રથયાત્રા 11 દિવસ સુધી ચાલે છે, જે રથયાત્રાના દિવસથી શરૂ થઈને નીલાદ્રિ વિજય સુધી ચાલે છે, જ્યારે દેવતાઓને મંદિરમાં પાછા લાવવામાં આવે છે. આ ઉત્સવની ભવ્યતા અને આધ્યાત્મિક મહત્વ તેને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવે છે.