સ્પેશિયલ ફિચર્સ

1941 અને 2025ની ઘટનાઓમાં દેખાય છે સમાનતા? સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચાઓ

સોશિયલ મીડિયામાં કેટલાક લોકો 2025ના વર્ષને 1941 સાથે સરખાવી રહ્યાં છે. એક કારણ તો એ છે કે, 2025 અને 1941નું કેલેન્ટર એકદમ સમાન છે. વાર અને તારીખથી લઈને રજાઓ સુધી બધુ જ એકરૂપ છે. તેના સાથે 1941માં જે ઘટનાઓ બની તેવી જ ઘટનાઓ 2025માં પણ બની છે જેમાં અનેક લોકોના મોત થયાં છે. જેને એક રીતે નરસંહાર પણ કહી શકાય છે. 1941માં વિશ્વ યુદ્ધ થયું હતું અને 2025માં પણ વિશ્વ અત્યારે યુદ્ધની તલવાર પર ચાલી રહ્યું છે. વિશ્વયુદ્ધ 2માં હિટલરના યુદ્ધ અને નરસંહારના ઉદ્દેશો હોય કે 2025ના આધુનિક યુદ્ધો બન્ને સમયે માનવ જાતને મોટું નુકસાન થયું છે.

વિશ્વ 2025માં પણ યુદ્ધની તલવાર પર ચાલી રહ્યું છે

1941ની પ્રમુખ ઘટનાઓની વાત કરવામાં આવે તો, બીજુ વિશ્વયુદ્ધ, હોલોકોસ્ટ, પરલ હાર્બર પર જાપાનનો હુમલો, ઓપરેશન બાર્બારોસા, નરસંહાર વગેરે, જ્યારે 2025ની વાત કરીએ તો, રશિયા અને યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ અને ઈરાક યુદ્ધ, વૈશ્વિક તણાવ, અમેરિકામાં લાગેલી આગ જેના કારણે કારણે હજારો એકર જંગલ બળ્યા, ભારતમાં મહાકુંભમાં થયેલી ભાગદોડ, નવી દિલ્હીમાં રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ, ભારત પાકિસ્તાન તણાવ, પહેલગામ હુમલો અને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના. આ ઘટનાઓ ભલે અલગ અલગ હોય પરંતુ આ ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

1941માં કુલ 20 મિલિયનથી વધુ લોકોના મોત થયેલા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 1941માં કુલ 20 મિલિયનથી વધુ લોકોના મોત થયાં હતા. જેમાં યુદ્ધ અને નરસંહારનો આકંડો પણ આવી ગયો છે. 2025માં પણ હજારો લોકોના મોત થયાં પરંતુ તેના કરતા વધારે પર્યાવરણને નુકસાન થયું છે. કારણ કે, 2025માં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોના જંગલોમાં આગઓ ખૂબ જ બની છે જેના કારણે હજારો એકર જંગલ બળીને ખાખ થઈ ગયાં છે. જેથી 1941 અને 2025માં કંઈક અંશે સમાનતા તો જણાવી રહી છે. આ સાથે 1941 પહેલા મહામારી ફેલાઈ હોવાનું પણ કહેવાય છે. ત્યારે 2025 પહેલા એટલે કે 2019થી લઈ 2021નું વર્ષ વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાવતું ગયું.

વિશ્વ માટે 1941નું વર્ષ ખૂબ જ ઘાતક રહ્યું હતું. કારણે કે, આ વખતે વિશ્વયુદ્ધના કારણે અનેક દેશના નાગરિકોના મોત થયા હતાં. જેમાં ભારત પણ બાકાત રહ્યો નથી. ભારત ત્યારે ગુલામ હતુ જેથી ના ચાહતા પણ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવો પડ્યો હતો. જેના કારણે હજારો સૈનિકોનું મોત થયું હતું. મૂળ રીતે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતનું કોઈ દુશ્મન હતું જ નહીં છતાં પણ તેમાં ભાગ લેવો પડ્યો હતો. 1941માં લાખો લોકાનો નરસંહાર થયો હતો. જેના કારમે વિશ્વ આગના ગોળા હેઠળ શેકાયું હતું.

2025ની ઘટનાઓને 1941ના બીજા વિશ્વયુદ્ધ સાથે સરખાવી શકાય

મહત્વની વાત એ છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધ જેવી 2025ની ઘટનાઓને 1941ના બીજા વિશ્વયુદ્ધ સાથે સરખાવી શકાય છે. વિસ્તારવાદી ધોરણ, ધર્મ/સાંસ્કૃતિક તણાવ, સામૂહિક વિનાશનો ખતરો, માનવ સંહાર જેવી ઘટનાઓ 2025માં પણ બની છે. 22 જૂન 1941માં ઓપરેશન બાર્બારોસા, જુલાઈ – ડીસેમ્બર 1941માં Einsatzgruppen દ્વારા નરસંહાર કરવામાં આવ્યો હતો. જ્યારે 2025માં રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અનેક લોકોના મોત થયાં છે.

આપણ વાંચો:  સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

યુદ્ધ અને નરસંહાર માનવજાત માટે સૌથી મોટી વિડંબના

1941 અને 2025 બંને વર્ષોએ વિશ્વને શીખવ્યું છે કે યુદ્ધ અને નરસંહાર માનવજાત માટે સૌથી મોટી વિડંબના છે. 2025માં જ્યારે યુક્રેન, મધ્યપૂર્વ અને અન્ય સ્થળોએ યુદ્ધ અને તણાવ ચાલે છે, ત્યારે પર્યાવરણને થતા નુકસાન પણ આપણા માટે નવી ચેતવણી છે. ઈતિહાસને ધ્યાનમાં લઈને આજે સૌએ શાંતિ અને પર્યાવરણની સુરક્ષા માટે પ્રયત્નો વધારવા જરૂરી છે

આ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાને આધારે લખાયેલો અહેવાલ છે. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button