પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાની ન કરશો ભૂલ, નહીંતર ખાલી થઈ જશે પૈસાની તિજોરી | મુંબઈ સમાચાર

પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાની ન કરશો ભૂલ, નહીંતર ખાલી થઈ જશે પૈસાની તિજોરી

Purse Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર આપણા જીવન સાથે વણાયેલું છે. તેથી ઘરના બાંધકામ જેવી ઘણી બાબતોમાં વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. ઘરના બાંધકામ સિવાય આપણા જીવન સાથે જોડાયેલી એવી ઘણી બાબતો છે. જે પૈકીની એક બાબત આપણું પર્સ છે. પર્સ માટે પણ વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમો લાગું પડે છે. જેનું પાલન કરવામાં ન આવે તો આર્થિક તંગી ઊભી થાય છે. આવો પર્સને લઈને વાસ્તુ શાસ્ત્રના મહત્ત્વના નિયમો જાણીએ.

ફાટેલી ચલણી નોટ: ઘણા લોકો કૂલ બનવાના ચક્કરમાં જૂનામાં જૂની અથવા પલળેલી ચલણી નોટ પર્સમાં રાખી મૂકે છે. એક સમય બાદ તે પર્સમાં પડી પડી ફાટી જાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, પર્સમાં ક્યારે પણ ફાટેલી નોટ રાખવી જોઈએ નહીં.

જૂના બિલ અથવા ચાવી: પર્સમાં ક્યારેય જૂના બિલ અથવા ચાવી રાખવી જોઈએ નહીં. તેને અશુભ ગણવામાં આવે છે. તેનાથી ધનની તંગી ઊભી થાય છે. પર્સમાં બેથી વધુ કાગળ રાખવા જોઈએ નહીં. પર્સમાં ચાવી રાખવાથી પણ આર્થિક તંગી ઊભી થાય છે અને નુકસાન થાય છે.

દવાઓ: ઘણા લોકો પર્સમાં દવા રાખતા હોય છે. જેથી કોઈ ઇમરજન્સી આરોગ્યની તકલીફ થાય તો તેનું સેવન કરી શકાય. પરંતુ જો તમને પર્સમાં દવા રાખવાની કાયમી ટેવ છે, તો તેને સુધારી દેવી જોઈએ. પર્સમાં દવા રાખવાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. જો તમે લાંબા અંતરના પ્રવાસે જઈ રહ્યા છો, એવા સંજોગોમાં પર્સમાં દવા રાખી શકાય, પરંતુ રોજિંદી દિનચર્યામાં પર્સમાં દવા રાખવી જોઈએ નહીં.

મૃત વ્યક્તિનો ફોટો: ઘણા લોકો પોતાના મૃત સ્વજનોના ફોટો પોતાના પર્સમાં રાખતા હોય છે. પરંતુ આવું ન કરવી જોઈએ. પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો રાખવાથી જીવનમાં નકારાત્મક ઊર્જા આવે છે અને આર્થિક મુશ્કેલી ઊભી થાય છે.

ફાટેલુ પર્સ: ઘણા લોકો પોતાના જૂના પર્સને જીવની જેમ સાચવી રાખે છે અને તે ફાટી જાય કે ઘસાઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ ચાલુ રાખે છે. પરંતુ ક્યારેય ફાટેલું પર્સ ઉપયોગમાં ન લેવું જોઈએ. આવું કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળતો નથી અને ધનની ખોટ પણ ઊભી થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button