આજે થશે ચંદ્ર અને રાહુની યુતિ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ ચંદ્ર કે રાહુ રાશિ પરિવર્તન કરે છે કે ગોચર કરે છે ત્યારે તેની સીધી સીધી અસર દેશ-દુનિયા પર જોવા મળે છે. આજે એટલે કે 16મી જૂનના ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને કુંભ રાશિમાં રાહુ પહેલાંથી જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુની યુતિ થઈ રહી છે. આ યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. આ યોગની કેટલીક રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, આ રાશિના જાતકોને લાભ જ લાભ થશે.
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રમાને મન અને ભાવનાનો કારક માનવામાં આવ્યો છે, જ્યારે રાહુને રહસ્યમયી અને છાયા ગ્રહ માનવામાં આવે છે. આ ઉપરાંત ચંદ્રને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ માનવામાં આવ્યો છે. ચંદ્ર દર અઢી દિવસે ગોચર કરે છે, જેને કારણે તેની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી જ રહે છે અને તે શુભાશુભ યોગ બનાવે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ જેમને ગ્રહણ યોગથી લાભ થઈ રહ્યો છે.

મેષ રાશિના જાતકો માટે ચંદ્ર અને રાહુની યુતિ સકારાત્મક પરિણમો લઈને આવશે. આ સમયે મનપસંદ નોકરી મળી શકે છે. આ સાથે નોકરીમાં પદોન્નતિ અને કેટલીક નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. દરેક કામમાં સફળતા મળતાં મન પ્રસન્ન રહેશે.

વૃષભ રાશિના જાતકોને ચંદ્ર અને રાહુની યુતિથી બની રહેલો ગ્રહણ યોગ કરિયરમાં સફળતાઓ લઈને આવશે. કામના સ્થળે સિનિયર તમારા કામના વખાણ કરશે. આ સમયે કોઈ સાથે પણ પૈસા સંબંધિત લેવડદેવડ કરતાં પહેલાં સાવધાની રાખો. વિના કારણ વાદ-વિવાદમાં પડવાનું ટાળો.

મિથુન રાશિના જાતકો માટે પણ આ યોગ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. નોકરીમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આ સમયે તેનો ઉકેલ આવી રહ્યો છે. નવા નવા લોકો સાથે સંપર્ક વધી રહ્યા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સમયે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

કન્યા રાશિના જાતકો માટે પણ આ યોગ લાભદાયી રહેશે, આ સમયે પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. પ્રોફેશનલ લાઈફમાં પણ પ્રગતિ થશે. પાર્ટનર અને પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે. આજે તમને આગળ વધવાની તક મળતાં તમારું મન પ્રસન્ન રહેશે.

ધન રાશિના વેપાર કરી રહેલાં જાતકો માટે આ સમય સારો રહેશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. ફાઈનાન્સ સાથે સંકળાયેલા લોકોને પણ આ સમયે સારો એવો લાભ થશે. દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કરીને એમાંથી બહાર આવી જશો.
આ પણ વાંચો…51 દિવસ સુધી સાવધ રહેવું પડશે, ગ્રહોની સ્થિતિ મોટી હોનારતના એંધાણ આપી રહી છે…