બુધ અને શનિ બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક પંચાગ અનુસાર 24 કલાક બાદ એટલે કે 17મી સપ્ટેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ 180 ડિગ્રી પર સ્થિત થઈને પ્રતિયુતિ યોગ બનાવી રહ્યા છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 17મી સપ્ટેમ્બરના રાતે 11.15 કલાકથી બુધ અને શનિ બંને એકબીજાથી 180 ડિગ્રી પર રહેશે. જેને કારણે પ્રતિયુતિ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે અને તેમનું ભાગ્ય ચમકી ઉઠશે. ચાલો જોઈએ કઈ ચે આ ભાગ્યશાળી રાશિ-

તુલા રાશિના જાતકો માટે બુધ અને શનિની આ ચાલ સકારાત્મક પરિણામો લઈને આવશે. આવકમાં જોરદાર વધારો જોવા મળી શકે છે અને આવકના નવા નવા સ્રોત ઊભા થી રહ્યા છે. કામના સ્થળે પણ તમારી પ્રગતિ થતાં મન પ્રસન્ન રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ સફળતા મળશે. આ સમયે જો રોકાણ કર્યું હશે તો તેનાથી લાભ મળશે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી થવાનો છે. આ સમયે કામ અને બિઝનેસમાં પણ તમારી પ્રગતિ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે નવી નવી જવાબદારીઓ મળી શકે છે. તમારા સોશિયલ સર્કલમાં વધારો થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ફાયદાકારક રહેવાનો છે. અચાનક તમને ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ શકે છે. આ સમયે કારકિર્દી અને પારિવારિક જીવનમાં સંતોષની લાગણી અનુભવાશે. પ્રેમ સંબંધો જીવી રહેલાં લોકો આ સમયે પાર્ટનર સાથે સમય પસાર કરશે. તમારી ઈચ્છાઓ પૂરી થઈ જશે.