રાશિફળ

રથયાત્રા સ્પેશિયલઃ આ છે ભગવાન જગન્નાથજીની પ્રિય રાશિઓ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

આવતીકાલે એટલે કે 27મી જુનના દિવસે ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ભારે ઉત્સાહ અને ઉમંગથી ઓડિશાના પૂરી અને ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. દર વર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા પર નીકળે છે. આવી માન્યતા છે કે આ રથયાત્રામાં રથ ખેચવાથી ભગવાન જગન્નાથના વિશેષ આશિર્વાદ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતું શું તમને ખબર છે આ ભગવાન જગન્નાથની પ્રિય રાશિઓ કઈ છે? ચાલો આજે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જાણીએ ભગવાન જગન્નાથની પ્રિય રાશિઓ વિશે કે જેમના પર ભગવાનની વિશેષ કૃપા રહે છે-

Sun and Jupiter will form a rare yoga, people of this zodiac sign will get extraordinary benefits...

આ રાશિના જાતકો ખૂબ જ મહેનતું હોય છે અને એની સાથે સાથે જ તેઓ ધૈર્યવાન અને લગનવાળા હોય છે. ભગવાન જગન્નાથની કૃપાથી તેઓ પુષ્કળ ધન-દૌલત અને નામ કમાવે છે . આ સાથે આ રાશિના જાતકોની ભગવાન જગન્નાથમાં વિશેષ શ્રદ્ધા હોય છે. જીવનમાં સારું આચરણ અને ઈમાનદારી પસંદ કરનારાઓ હોય છે.

કર્ક રાશિના જાતકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને માનસિક રીતે તેઓ ખૂબ જ મજબૂત હોય છે. આ રાશિના જાતકો પર ભગવાનની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકો જીવનમાં આવનારી તમામ મુશ્કેલીનો ખૂબ જ હિંમતથી સામનો કરશે. ભગવાન જગન્નાથ પણ તેમની રક્ષા કરે છે.

Today's Horoscope (15-03-2025)

સિંહ રાશિના જાતકો પર ભગવાન જગન્નાથની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકો તેમની લીડરશિપ ક્વોલિટી માટે ખૂબ જ જાણીતા હોય છે. કરિયરમાં ઊંચાઈઓ પર પહોંચે છે. પોતાની ખાસિયત અને ખુબીઓના દમ પર તેઓ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થાય છે. કોઈ પણ મુશ્કેલીમાં ભગવાન જગન્નાથ તેમને મદદ કરવા માટે તત્ત્પર હોય છે.

તુલા રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ ન્યાયપ્રિય, મિલનસાર અને સંતુલન જાળવીને આગળ વધવામાં માને છે. આ રાશિના જાતકો પર ભગવાન જગન્નાથના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે. આ રાશિના લોકો જીવનમાં સફળતા મેળવીને વૈભવી જીવન જીવે છે. ભગવાન જગન્નાથ આ રાશિના જાતકોના તાણ દૂર કરીને જીવનમાં ખુશહાલીના રંગો પૂરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button