199 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર પર બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન… | મુંબઈ સમાચાર

199 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર પર બનશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…

આવતીકાલે એટલે કે 29મી માર્ચના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં ના દેખાવવાનું હોવાથી અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે.

આ સૂર્યગ્રહણ પર 199 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને કારણે કેટલી રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ દુર્લભ સંયોગ અને એને કારણે કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર સૂર્યગ્રહણના દિવસે સૂર્ય મીન રાશિમાં અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. એટલું જ નહીં પણ મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને ચંદ્રની યુતિ થઈ રહી છે. મીન રાશિમાં એક સાથે પાંચ પાંચ ગ્રહોની યુતિ થતાં પંચગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આપણ વાંચો: આજનું રાશિફળ (28-03-2025): આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

આ ઉપરાંત સૂર્ય ગ્રહણ પૂરું થતાં જ શનિ પણ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે જેને કારણે એક સાથે છ ગ્રહો એક જ રાશિમાં આવશે, જેને કારણે મહાવિસ્ફોટક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દુર્લભ સંયોગને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેઓ રાજા જેવું જીવન જીવશે.

મકરઃ

Today's horoscope (18-03-25):

મકર રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને સાડાસાતીમાંથી મુક્તિ મળશે. લાંબા સમયથી અટવાઈ પડેલું જીવન ફરી પાટે ચઢી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. જીવનમાં ખુશીઓ આવશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે તમારા વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. બિઝનેસ શરૂ કરવા માટે આ એકદમ અનુકૂળ સમય છે.

કુંભઃ

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કુંભ રાશિના જાતકો માટે આ સમયે લાંબા સમયથી ચાલી આવેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. ભૂતકાળમાં કરેલાં રોકાણથી આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. નાણાની બચત કરવા માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેવાનો છે. પૈતૃક સંપત્તિમાં પણ હિસ્સો મળી શકે છે.

ધનઃ

Venus will transit for just ten days

ધન રાશિના જાતકો માટે આ દુર્લભ સંયોગને કારણે લાભ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. બચત કરવા માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે. કોઈ રોકાણથી તમને ભરપૂર લાભ થઈ રહ્યો છે. વિદેશમાં વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયમાં લાભ જ લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે તમારી પ્રગતિ થઈ રહી છે. અટકી પડેલાં કામ પણ ઝડપથી પૂરા થઈ રહ્યા છે.

Back to top button