રાશિફળ

બની રહ્યો છે પંચગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષીય ગણતરી અનુસાર ગ્રહો અને નક્ષત્ર દર થોડા સમયે પોતાની ચાલ બદલે છે અને તેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. માર્ચ મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. માર્ચ મહિનામાં આવો જ એક દુર્લભ યોગ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી સાબિત થઈ રહ્યો છે. ચાલો જોઈએ કયો છે આ યોગ અને કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આ પણ વાંચો: આજનું રાશિફળ (08-03-25): શનિદેવને સમર્પિત શનિવાર કેવો રહેશે તમારા માટે, જાણી લો એક ક્લિક પર…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે કે નક્ષત્ર પરિવર્તન કરે છે. આ ગોચર કે પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. મળી રહેલી માહિતી અનુસાર મીન રાશિમાં પાંચ ગ્રહ એક સાથે બિરાજમાન થશે, જેને કારણે પંચગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મીન રાશિમાં હાલમાં રાહુ, શુક્ર અને બુધ બિરાજમાન છે. 14મી માર્ચના સૂર્ય પણ મીન રાશિમાં ગોચર કરશે જ્યારે 28મી માર્ચના ચંદ્ર મીન રાશિમાં બિરાજમાન થશે. જ્યારે એક જ રાશિમાં પાંચ ગ્રહો એક સાથે બિરાજમાન થાય છે ત્યારે પંચગ્રહી યોગનું નિર્માણ થાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં પંચગ્રહી યોગને ખુબ જ શક્તિશાળી માનવામાં આવ્યો છે. મીન રાશિમાં બની રહેલાં આ પંચગ્રહી શક્તિશાળી યોગને કારણે કેટલીક રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે.

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!
વૃષભ રાશિના જાતકો માટે આ પંચગ્રહી યોગ વરદાન સમાન સાબિત થશે. આ સમયે ઈચ્છાઓની પૂર્તિ થઈ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. બેન્ક લોન લેવાનું વિચારી રહ્યા છો તો તે પણ સરળતાથી મળી રહી છે. નવી નોકરી મળવાની શક્યતા છે. આ સમયે તમારી અંદર પ્રતિસ્પર્ધાની ભાવના જોવા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. વૈવાહિક જીવનમાં સુખ-સુમેળ રહેશે.


મકર રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી થશે. બુદ્ધિ અને તર્ક શક્તિમાં વૃદ્ધિ થશે. કરિયરમાં પ્રગતિ થશે. લાંબી યાત્રા પર જવાનો યોગ છે. નવો વેપાર શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. આ સમયે તમને મોટો નફો થવાની પૂરેપૂરી શક્યતા છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે. પરિવારનો સાથ-સહકાર મળી રહ્યો છે.


કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. પાંચેય ગ્રહો એક જ રાશિમાં આવતા આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને પ્રમોશન મળી રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકોની નેતૃત્વ ક્ષમતા વધી રહે છે. ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થઈ રહ્યો છે. પ્રેમ સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button