રાશિફળ

48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે નક્ષત્ર પરિવર્તન, ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ…

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, વાણી અને વેપારનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ બુધ પોતાની રાશિ કે નક્ષત્ર બદલે છે, ત્યારે તેની સીધી અસર માનવીના જીવન અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડે છે.

હાલમાં બુધ ગ્રહ ધનુ રાશિમાં બિરાજમાન છે અને આગામી 7મી જાન્યુઆરી 2026ના રોજ બુધ નક્ષત્ર પરિવર્તન કરીને શુક્રના નક્ષત્ર ‘પૂર્વાષાઢા’ માં પ્રવેશ કરશે.

બુધ અને શુક્ર વચ્ચે મિત્રતાનો ભાવ હોવાથી, બુધનું શુક્રના નક્ષત્રમાં જવું અનેક રાશિઓ માટે સૌભાગ્યના દ્વાર ખોલી શકે છે. ચાલો જાણીએ આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓને વિશેષ લાભ થશે.

બુધ ગ્રહ 7મી જાન્યુઆરીના રોજ રાત્રે 12.04 વાગ્યે મૂળ નક્ષત્રમાંથી નીકળીને શુક્રના આધિપત્યવાળા પૂર્વાષાઢા નક્ષત્રમાં ગોચર કરશે. આ પરિવર્તનથી કલા, સર્જનાત્મકતા અને આર્થિક લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આપણ વાચો: આજનું રાશિફળ (05-01-26): 6 રાશિના જાતકોને આજે મળશે કોઈ ગુડ ન્યુઝ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મેષઃ

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો ગ્રહોના રાજકુમાર બુધનું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત સકારાત્મક રહેશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાશે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ ઓછો થશે અને તમે સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશો. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. વિદ્યાર્થીઓ જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

ધનઃ

હાલમાં બુધ ધન જ રાશિમાં છે, તેથી શુક્રના નક્ષત્રમાં પ્રવેશ આ રાશિના જાતકો માટે સોનામાં સુગંધ ભળવા જેવું કામ કરશે. સામાજિક ક્ષેત્રે તમારું કદ વધશે અને લોકો તમારા મંતવ્યોની પ્રશંસા કરશે. વેપારીઓને કોઈ નફાકારક સોદો (Deal) મળી શકે છે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો આર્થિક લાભ અપાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ જ્યોતિષીય સલાહ મુજબ શરીરને હાઇડ્રેટેડ રાખવું (વધારે પાણી પીવું) તમારા માટે અનિવાર્ય છે.

મીનઃ

Today's Horoscope (18-03-2025)

મીન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર જીવનના વિવિધ પાસાઓમાં સંતુલન લઈને આવશે. જો કોઈ જૂના કાયદાકીય મામલાઓ કે વિવાદો ચાલતા હોય, તો તેનો સુખદ ઉકેલ આવવાની શક્યતા છે. આ સમય અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે શ્રેષ્ઠ છે. સર્જનાત્મક વિષયોમાં તમારી રુચિ વધશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ સમય ખૂબ જ રોમેન્ટિક રહેશે. સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button