પાંચ દિવસ બાદ પાપી ગ્રહ કરશે કેતુ રાશિ પરિવર્તન, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરનું અલગ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને એમાં પણ પાપી ગ્રહ તરીકે ઓળખાતા કેતુનું ગોચર ખાસ મહત્ત્વનું છે. કેતુ દર દોઢ વર્ષે એટલે કે 18 મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. પાંચ દિવસ બાદ એટલે કે 18મી મેના કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે. કેતુના આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે, નોકરી અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ રહી છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (13/05/2025): અમુક જાતકો માટે આજનો દિવસ અમૂલ્ય રહેશે, જાણો કોને ફળશે?
મિથુન રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર ખૂબ જ શુભ સાબિત થવાનું છે. તમને કામ પૂરા કરવામાં સફળતા મળશે. ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. પરિવારના સભ્યો અને મિત્રો સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. માનસિક શાંતિનો અહેસાસ થશે. કામના સ્થળે સાથી કર્મચારીઓનો સહયોગ મળી રહ્યો છે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે.
મકર રાશિના જાતકો માટે પણ કેતનું આ રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. નાણાંકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. રોકાણ પર સારું વળતર મેળવી શકશો. નોકરીમાં પણ સ્થિતિ સુધારો જોવા મળશે.
કન્યા રાશિના જાતકો માટે કેતુનું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. કોર્ટ-કચેરીના કેસમાં તમને વિજય મળશે. જો કોઈ નાણાંકીય સમસ્યાઓ સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. નોકરી અને બિઝનેસમાં પણ રાહત મળી રહી છે. દેવામાંથી મુક્તિ મળી રહી છે.
ધન રાશિના જાતકો માટે 18 મહિના બાદ કેતુનું થઈ રહેલું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે શુકનિયાળ રહેશે. આ સમયે તીર્થયાત્રા પર જવાનો મોકો મળશે. બિઝનેસને કારણે પણ કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. તમે જે કોઈ પણ આયોજન કરશો એમાં તમને સફળતા મળશે.