છ યોગનો મહાસંયોગ થશે ગણેશ ચતુર્થી પરઃ આ બે રાશિના જાતકો પર થશે દુંદાળાદેવની કૃપા

શ્રાવણ મહિનાની સમાપ્તી સાથે જ ગુજરાત સહિત દેશ ભરમાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ જાઈ છે. ભાદરવા મહિના શુક્લ પક્ષની ચોથના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે 27 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી આ તહેવાર ઉજવાશે. આ તહેવાર ભગવાન ગણેશના જન્મોત્સવની ઉજવણીનો પવિત્ર પ્રસંગ છે, જેમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વખતે ગણેશ ચતુર્થી ખૂબ ખાસ રહેશે, કારણ કે આ દિવસે અનેક શુભ યોગોનો સંયોગ બની રહ્યો છે.
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે શરૂ થશે, જે દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ, રવિ યોગ, બ્રહ્મ યોગ, ઇન્દ્ર યોગ, પુષ્કર યોગ અને પ્રીતિ યોગ જેવા દુર્લભ શુભ યોગો રચાશે. આ ઉપરાંત, ગણેશ મહોત્સવ દરમિયાન બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે, જે આ તહેવારને વધુ ખાસ બનાવશે. આ શુભ સંયોગોના પ્રભાવથી ખાસ કરીને તુલા અને કુંભ રાશિના જાતકોને ધન, સમૃદ્ધિ અને સફળતાનો લાભ મળશે.
શુભ યોગોનો સંયોગ
ગણેશ ચતુર્થી પર બનનારા શુભ યોગો આ વર્ષે આ તહેવારને અનન્ય બનાવે છે. સર્વાર્થસિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા યોગો નવા કાર્યોની શરૂઆત અને સફળતા માટે શુભ માનવામાં આવે છે, જ્યારે બ્રહ્મ યોગ અને ઇન્દ્ર યોગ આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિ આપે છે. પુષ્કર અને પ્રીતિ યોગ સંબંધોમાં પ્રેમ અને સમૃદ્ધિ વધારે છે. બુધનું સિંહ રાશિમાં ગોચર વેપાર અને બૌદ્ધિક કાર્યોમાં પ્રગતિની સંભાવનાઓ વધારશે, જેનાથી ઘણી રાશિઓને લાભ થશે.
તુલા રાશિ માટે લાભ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગણેશ ચતુર્થીના શુભ સંયોગો તુલા રાશિના જાતકો માટે ખૂબ ફળદાયી રહેશે. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, અને વેપારમાં નફો મળવાની સંભાવના છે.
નોકરીમાં પ્રમોશન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. આ ઉપરાંત, તેમનું સ્વાસ્થ્ય સુધરશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે. તુલા રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, જેના કારણે આ સમય તેમના માટે ખૂબ લાભકારી રહેશે.
કુંભ રાશિ માટે સફળતા
કુંભ રાશિના જાતકો માટે પણ આ ગણેશ ચતુર્થી ખૂબ શુભ રહેવાની છે. આ દરમિયાન તેમના માટે આવકના નવા સ્ત્રોત ખુલશે, અને વિદેશ પ્રવાસની તકો મળશે, જેનાથી નફો થશે.
તેમના દરેક કાર્યોમાં સફળતા મળશે, અને માન-સન્માનમાં વધારો થશે. જોકે, ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આ શુભ સંયોગો કુંભ રાશિના જાતકો માટે નવી તકો અને સમૃદ્ધિના દ્વાર ખોલશે, જેનાથી તેમનું જીવન વધુ સારું બનશે.