જૂન મહિનામાં બની રહ્યો છે ભયંકર વિનાશકારી યોગ, આ રાશિના જાતકોનો વાળ પણ નહીં થાય વાંકો…

જૂન મહિનો પૂરો થઈ રહ્યો છે અને એની સાથે જ 2025નું અડધું વર્ષ પૂરું થઈ જશે. જુન મહિનાની જેમ શરૂ થનારો જુલાઈ મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે.
આ મહિનાની પહેલી તારીખથી 28મી તારીખ સુધી મંગળ અને કેતુ સિંહ રાશિમાં યુતિ બનાવશે, જેને કારણે અંગારક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આમ તો આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ અશુભ યોગ માનવામાં આવ્યો છે, પરંતુ કેટલીક રાશિના જાતકોને આ યોગને કારણે ફાયદો થઈ રહ્યો છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (28-06-25): મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ હશે લાભદાયી…
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરીન શુભ અને અશુભ યોગ બનાવે છે જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મલે છે. જુલાઈ મહિનામાં 28 દિવસ સુધી અંગારક યોગ રહેશે.
સૂર્યની રાશિ સિંહમાં મંગળ અને કેતુ 28મી જુલાઈ સુધી રહેશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોની મુશ્કેલી વધી રહી છે તો કેટલીક રાશિના જાતકોને આ ખતરનાક યોગથી લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ રાશિના જાતકોને આ યોગથી પારાવાર લાભ થઈ રહ્યો છે.
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ સકારાત્મક અસર લઈને આવશે. આ સમયે તમારી ઈચ્છામાં વૃદ્ધિ થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. અધ્યાત્મ પ્રત્યે રસ વધશે. માનસિક શાંતિનો અનુભવ થશે. સમાજમાં તમારું માન-સન્માન વધી શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. ઘર, વાહન કે બીજી મોજ-મસ્તીની વસ્તુઓ ખરીદી શકો છો.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ યુતિ ખૂબ જ લાભદાયી રહેશે, કારણ કે આ યુતિ સિંહ રાશિમાં જ બની રહી છે. આ સમયે આ યોગના પ્રભાવને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલાં વિદ્યાર્થીઓને તેમના પ્રયાસોમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક આયોજનોમાં ભાગ લેશો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને પણ આ સમયે સફળતા મળશે.
ધનઃ

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા અપાવનારો રહેશે. ધાર્મિક યાત્રા પર વગેરે જઈ શકો છો. કામના સ્થળે તમને નવી તક મળશે. પ્રમોશન કે નવી નોકરી શોધી રહેલાં લોકોની ઈચ્છા પૂરી થશે. આ સમયે મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.