રાશિફળ

100 વર્ષ બાદ અક્ષય તૃતિયા પર એક સાથે બનશે અનેક શુભયોગ, ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ…

હિંદુ શાસ્ત્રમાં અક્ષય તૃતિયાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, કારણ કે અક્ષય તૃતિયા વર્ષના સાડાત્રણ મુહૂર્તમાંથી એક ગણાય છે. આ વખતે અક્ષય તૃતિયા 30મી એપ્રિલના આવી રહી છે અને આ વખતે 100 વર્ષ બાદ પહેલી વખત અક્ષય તૃતિતા પર એક-બે નહીં પણ અનેક શુભ યોગ બની રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથે મળવાની સાથે સાથે તેમને આર્થિક લાભ પણ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ અને કયા યોગ બની રહ્યા છીએ એ

અક્ષય તૃતિયાના દિવસે ગજકેસરી રાજયોગ, માલવ્ય રાજયોગ, રવિ યોગ, ચતુર્ગ્રહી યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ સહિતના દુર્લભ યોગ બની રહ્યા છે. 100 વર્ષ બાદ અક્ષય તૃતિયા પર એક સાથે આટલા બધા શુભ યોગ બની રહ્યા છે. વાત કરીએ આ યોગને કારણે કઈ રાશિના લોકોને લાભ થઈ રહ્યો છે એની.

તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયગાળામાં આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આ સમયે તમે વાહન વગેરે ખરીદી શકો છો. જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ સમયે તમારી તમામ ઈચ્છા પૂરી થશે. બેરોજગાર લોકોને પણ આ સમયે લાભ થશે.

Today's Horoscope (15-03-2025)

સિંહ રાશિના જાતકો માટે એક સાથે બની રહેલાં છ દુર્લભ રાજયોગ ખૂબ જ શુભ પરિણામ આપી રહ્યા છે. આ સમયે આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા મળી રહી છે. આવકમાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે. બિઝનેસમાં પણ તમને મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. કોઈ જગ્યાએ રોકાણ કરવાથી લાભ થઈ રહ્યો છે.

મકર રાશિના જાતકો માટે આ સમયે ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ સમયે તમને તમારા કામમાં સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું છે. નવી જવાબદારીઓ મળી શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button