રાશિફળ

48 કલાક બાદ ન્યાયના દેવતા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે શનિ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ ગતિ કરે છે, જેને કારણે તેની અસર લાંબા સમય સુધી રહી છે. શનિના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. શનિને 27 નક્ષત્રનું એક ચક્ર પૂરું કરવા માટે 27 વર્ષનો સમય લાગે છે અને 12 રાશિનું ચક્ર પૂરું કરવા માટે 30 વર્ષનો સમય લાગે છે.
બે દિવસ બાદ એટલે કે 48 કલાક બાદ 28મી એપ્રિલના સવારે 7.52 કલાકે શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. શનિનું આ નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ સારો સમય લઈને આવશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

Sun and Jupiter will form a rare yoga, people of this zodiac sign will get extraordinary benefits...

વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત તશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. અટકી પડેલાં કામકાજ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

Today's horoscope (18-03-25):

આ રાશિના જાતકો માટે આ સમય એકદમ સોનેરી સાબિત થશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. સંબંધમાં મધુરતા આવશે. બિઝનેસમાં પ્રગતિ થઈ રહી છે. શનિનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. વિવાદથી દૂર રહેવું પડશે. ધનમાં વૃદ્ધિ આવશે. નોકરી-બિઝનેસમાં પ્રગતિ થઈ રહી છે.

કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ફળદાયી રહેવાનો છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ધન વૃદ્ધિ થતાં તમારી ખુશીનોપાર નહીં રહે. તમારી મહેનતનું પૂરું ફળ મળશે. અટકી પડેલું ધન પાછું મળી શકે છે. જીવનમાં પ્રેમ વધી રહ્યું છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button