નેશનલ

માર્ચના મધ્ય સુધીમાં સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરાશે?

14 માર્ચે આચારસંહિતા લાગુ થવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અયોધ્યા:


નવા અહેવાલોએ અનુમાન લગાવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચ આગામી થોડા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી માટેના સમગ્ર કાર્યક્રમ અને તારીખોની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ, પ્રથમ મતદાન તબક્કા એપ્રિલના બીજા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.

આ સિવાય 14 માર્ચથી આદર્શ આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે. આદર્શ આચાર સંહિતા એ ECI દ્વારા તેમની ચૂંટણી રેલીઓ દરમિયાન રાજકીય પક્ષોના આચરણ માટે જારી કરાયેલ માર્ગદર્શિકાઓનો સમૂહ છે.

આ માર્ગદર્શિકા મુજબ, અન્ય રાજકીય પક્ષોની કોઈપણ ટીકા, જ્યારે કરવામાં આવે ત્યારે, તેમની નીતિઓ, કાર્યક્રમ, ભૂતકાળના રેકોર્ડ અને કાર્ય સુધી મર્યાદિત હોવી જોઈએ.

અયોધ્યામાં યાત્રાળુઓ માટે કરવામાં આવતી વ્યવસ્થા વિશેની ચર્ચા દરમ્યાન BJP ના વરિષ્ઠ પદાધિકારી પાસેથી જાણવા મળ્યું હતું કે 13 માર્ચ સુધી વ્યવસ્થા કરવામાં આવી છે.


સરકારી અમલદારો સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા એવું જાણવા મળ્યું હતું કે આચારસંહિતા લાગુ થયા બાદ વિશેષ ટ્રેનો, અયોધ્યામાં યાત્રાળુઓ માટે નિ: શુલ્ક રહેવા, ખાવા અને બસમાં મુસાફરીની સુવિધા ચાલુ રાખી શકાશે નહીં.
આ બાબતોને ધ્યાનમાં રાખતાં 14 માર્ચે ચૂંટણી જાહેર કરવામાં આવે એવું જણાઈ રહ્યું છે

ECI અધિકારીઓ હાલમાં ચૂંટણીઓ માટે રાજ્યોમાં આકારણી કરી રહ્યા છે. આ મૂલ્યાંકન 13 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ પછી, ચૂંટણી સંસ્થા આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે શેડ્યૂલ જાહેર કરવા માટે તૈયારી કરશે.


આ વર્ષની ચૂંટણીઓ પણ 2019ની સામાન્ય ચૂંટણી જેવી જ પેટર્નને અનુસરે તેવી અપેક્ષા છે – જેમાં સાત તબક્કામાં મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણીઓ સાથે, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ પોતપોતાના રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે એવું માનવામાં આવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત