નેશનલ

કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી માટે નાગપુરને શા માટે પસંદ કરવામાં આવ્યું? જાણો મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું

નવી દિલ્હીઃ દેશની સૌથી જુની કોંગ્રેસ પાર્ટી આજે તેનો 139મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ માટે નાગપુરમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ભાગ લેશે. આ સિવાય સોનિયા ગાંધી પણ ભાગ લેવાના હતા, પરંતુ નબળી તબિયતના કારણે તેઓ આ રેલીમાં ભાગ લઈ શકશે નહીં. પ્રિયંકા ગાંધી સોનિયાની સારવારમાં રોકાયેલા સાથે છે, તેથી તેઓ પણ તેમાં હાજરી આપી શકશે નહીં.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસ માટે મહારાષ્ટ્રના નાગપુરની પસંદગી કેમ કરી. તેમણે કહ્યું હતુંકે પાર્ટીએ દેશને સંદેશ આપવા માટે નાગપુરની પસંદગી કરી છે. પાર્ટીના નેતાઓ અહીંથી સંદેશ આપશે કે કોંગ્રેસ તેની વિચારધારા પ્રમાણે જ આગળ વધશે.

મીડિયા સાથે વાત કરતી વખતે ખડગેએ જણાવ્યું હતું કે, “આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે, અમે મોટી સંખ્યામાં એકસાથે આવવા માંગીએ છીએ અને એક સંદેશ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી તેની વિચારધારાથી ક્યારેય અટકવાની નથી. તે તેની વિચારધારા સાથે આગળ વધશે. આ માટે અમે નાગપુરથી દેશને સંદેશ મોકલી રહ્યા છીએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી રહી છે તો ખડગેએ જણાવ્યું હતું કે દરેક બાબતમાં ચૂંટણીઓ હોતી નથી. અમે ઉજવણી કરી રહ્યા છીએ. આમાં અમે અમારા લોકોને એક સંદેશ આપીશું કે આપણે 2024ની ચૂંટણી માટે કામ કરવાનું છે.


આ સાથે જ કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા ગઠબંધન ભાગીદારો વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર પણ કામ કરી રહી છે. આ સંદર્ભે પાર્ટી દ્વારા બનાવવામાં આવેલ પાંચ સભ્યોની સમિતિ તેના રાજ્ય સ્તરના નેતાઓ સાથે બેઠક કરી બેઠકો અંગે ચર્ચા કરી રહી છે. આ જ સમિતિના સભ્ય સલમાન ખુર્શીદ પણ નાગપુર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળના પાર્ટી નેતાઓને મળશે અને બેઠકોની સહમતિ અંગે ચર્ચા કરશે. તેમણે કહ્યું હતું કે દરેક પ્રાંત સાથે વાત કર્યા બાદ તેઓ ઈન્ડિયા એલાયન્સના સહયોગી દળો સાથે ચર્ચા કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?