PM Modi ચૂંટણી પ્રચાર પૂરો કર્યા પછી શું કરશે, જાણી લો

નવી દિલ્હીઃ 2019માં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ધ્યાનમગ્ન હોવાની એક તસવીર વાયરલ થઈ હતી. તેઓ કેદારનાથ ગુફામાં પહોંચ્યા હતા ત્યારે હવે પીએમ મોદી 31 મેના રોજ વિવેકાનંદ રોક પહોંચશે અને આખો દિવસ ધ્યાન કરશે. તેમણે અગાઉ કેદારનાથની રૂદ્ર ગુફામાં ધ્યાન ધર્યું હતું અને ત્યારથી આ ગુફાની મુલાકાત લેનારાની સંખ્યા વધી ગઈ હોવાનું ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું.
આ પણ વાંચો: હું સંબંધોનું બલિદાન આપી દઈશ: તો શું PM Modi માટે નવીન પટનાયક કામના રહ્યા નથી?
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાની બેઠકો માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદી (Pm Modi) તમિલનાડુ પહોંચી શકે છે અને કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી શકે છે. સાતમા તબક્કામાં 57 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થવાનું છે. આ બેઠકો માટે ચૂંટણી પ્રચાર 30 મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. સૂત્રોનું માનીએ તો ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદી 30મી મેની રાત્રે તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાના છે.
મળતી માહિતી મુજબ પીએમ મોદી 31 મેના રોજ વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લઈ શકે છે. 31 મેના રોજ પીએમ મોદી રોક મેમોરિયલ પહોંચી શકે છે અને આખો દિવસ ધ્યાન કરી શકે છે. આ પહેલા PM મોદીની 30 મે ગુરુવારે પંજાબમાં રેલી પણ છે. પીએમ મોદી 30 મેના રોજ પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પંજાબમાં ચૂંટણી રેલી બાદ પીએમ મોદી તમિલનાડુ જવાના છે જ્યાં તેઓ રાત્રી રોકાણ પણ કરશે. જો કે પીએમ મોદીનો 31 મે અને 1 જૂનનો સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું
આ પહેલીવાર નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી ક્યાંક ધ્યાન કરવા જઈ રહ્યા હોય. PM મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાની બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ ધ્યાન કરવા પણ ગયા હતા. ત્યારબાદ પીએમ મોદી ઉત્તરાખંડના કેદારનાથ ગયા હતા. ઉત્તરાખંડમાં કેદારનાથ પહોંચ્યા બાદ પીએમ મોદીએ રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું. આ વખતે પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે. પીએમનો આ ધ્યાન કાર્યક્રમ ચૂંટણી પ્રચાર અને મતદાન વચ્ચેનો છે, તેવા બિનસત્તાવાર અહેવાલો મળ્યા છે.
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂનના રોજ યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. યુપીમાં લોકસભાની 13 બેઠકો પર 144 ઉમેદવારો, પંજાબની 13 બેઠકો પર 328, પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર 124 અને બિહારની આઠ બેઠકો પર 134 ઉમેદવારો મેદાનમાં છે.
હિમાચલ પ્રદેશની ચાર બેઠકો પર 37 ઉમેદવારો, ઝારખંડની ત્રણ બેઠકો પર 52 અને ઓડિશાની છ બેઠકો પર 66 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં બેઠકો માટે 2105 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી 954 ઉમેદવારી પત્રો માન્ય જણાયા હતા. 50 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.