નેશનલ

પશ્ચિમ બંગાળમાં અમિત શાહના મમતા બેનર્જી પર પ્રહાર, વર્ષ 2026માં ભાજપ સરકાર બનાવશે

કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા. તેમણે ભાજપ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, વર્ષો સુધી બંગાળમાં સામ્યવાદીઓનું શાસન હતું. ત્યારબાદ મમતા બેનર્જી ‘મા, માટી, માનુષ’ ના નારા સાથે આવ્યા. તેમણે બંગાળની મહાન ભૂમિને ઘૂસણખોરી, મહિલાઓ પર અત્યાચાર, ગુના, બોમ્બ વિસ્ફોટ અને હિન્દુઓ સાથે અત્યાચારની ભૂમિમાં ફેરવી દીધી. મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા પછી પશ્ચિમ બંગાળમાં સેંકડો ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી. દીદી મારી વાત સાંભળો હવે તમારો સમય પૂરો થઈ ગયો છે. વર્ષ 2026 માં ભાજપ સરકાર બનાવશે.

હિન્દુઓનું સ્થળાંતર બંધ કરવું પડશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ભાજપ કાર્યકર્તાઓની એક ખાસ સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, આપણે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનાવવી પડશે ઘૂસણખોરી રોકવી પડશે ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે હિન્દુઓનું સ્થળાંતર બંધ કરવું પડશે.’

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં શાંતિ માટે ઘૂસણખોરી પર લગામ અનિવાર્યઃ અમિત શાહના આકરા તેવર

મમતા બેનર્જીએ વોટ બેંક માટે બધી હદો વટાવી દીધી

અમિત શાહે કહ્યું, ‘મમતા બેનર્જીએ બંગાળને ઘૂસણખોરી, મહિલાઓ પર અત્યાચાર, બોમ્બ વિસ્ફોટ અને હિન્દુઓ સાથે અત્યાચારનું કેન્દ્ર બનાવ્યું છે. દેશમાં ક્યાંય ચૂંટણીમાં હિંસા થતી નથી. ફક્ત બંગાળમાં હિંસા થાય છે. ટીએમસી સરકાર જતાની સાથે જ માર્યા ગયેલા તમામ ભાજપ કાર્યકરોને ન્યાય આપવામાં આવશે. મમતા બેનર્જીએ વોટ બેંક માટે બધી હદો વટાવી દીધી છે.

મમતા બેનર્જીને સિંદૂરનું મૂલ્ય સમજાવવું જોઈએ

અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર જઈને આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ દીદીને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. મમતા બેનર્જીએ રાજકારણ કરીને ઓપરેશન સિંદૂરનો વિરોધ કર્યો નહીં પરંતુ આ દેશની મહિલાઓ સાથે રમ્યા. તેમજ આગામી ચૂંટણીઓમાં બંગાળની માતાઓ અને બહેનોએ મમતા બેનર્જીને સિંદૂરનું મૂલ્ય સમજાવવું જોઈએ.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં ‘ઘૂસણખોરી’ મુદ્દે મમતા બેનરજીએ હવે કર્યો મોટો દાવો

ભાજપ સરકાર બનાવવાથી ફક્ત 4થી 5 ટકા મતથી દૂર

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવવાથી ફક્ત 4થી 5 ટકા મતથી દૂર છે. પશુ તસ્કરી કૌભાંડ, મધ્યાહન ભોજન કૌભાંડ, નગરપાલિકા ભરતી કૌભાંડ થયું. તેમજ હજારો કરોડ રૂપિયા ટીએમસી સરકારને આપી દેવામાં આવ્યા. અમિત શાહે કહ્યું, બંગાળની ચૂંટણી દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. મમતા બેનર્જીએ બાંગ્લાદેશીઓ માટે સરહદો ખુલ્લી રાખી છે.

બંગાળના મંત્રીઓ રમખાણોમાં સામેલ હતા

અમિત શાહે મુર્શિદાબાદ હિંસા પર નિવેદન આપતા જણાવ્યું હતું કે બીએસએફના આવવાથી હિન્દુઓ બચાવ થયો છે. ટીએમસી નેતાએ તોફાની તત્વોને પ્રોત્સાહન આપ્યું. બંગાળના મંત્રીઓ રમખાણોમાં સામેલ હતા. આ રાજ્ય પ્રાયોજિત રમખાણો હતો.

મુસ્લિમ તુષ્ટિકરણની બધી હદો પાર કરી દીધી

તેમણે કહ્યું મમતા દીદીએ મુસ્લિમ તુષ્ટિકરણની બધી હદો પાર કરી દીધી છે. વક્ફ કાયદાની વિરુદ્ધ જઈને મમતા દીદી કોને મદદ કરી રહી છે. વર્ષ 2026 સુધી ગમે તેટલો વિરોધ કરો. તેની બાદ તમે મુખ્યમંત્રી નહીં રહો. તમે ઇમામોને પગાર આપવા માંગતા હતા રોહિંગ્યાઓને ઘૂસણખોરી કરવાની મંજૂરી આપી. હાજી નુરુલને ટિકિટ આપી. ઓપરેશન સિંદૂરનો વિરોધ કરવામાં આવ્યો.અમિત શાહે જણાવ્યું કે આરજી કર હોસ્પિટલ રેપ કેસ અને સંદેશખલીના મુખ્ય ગુનેગારો ટીએમસી સાથે સંકળાયેલા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button