
નવી દિલ્હી: હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેફ ઉર્ફે ઈસ્માઈલ હનીયાની હત્યાથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધા યુદ્ધ થવાની આશંકા સેવાય રહી છે. લેબનોન અને ઈરાન સાથે મળીને ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે ઈઝરાયેલે એ જ દિવસે હિઝબુલ્લાહના કમાન્ડરને પણ ઠાર કરી દીધો છે. મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધના ભયાનક સ્વરૂપનો અંદાજ મેળવીને આગમચેતીરૂપે ભારતે ગુરુવારે લેબનોનની રાજધાની બેરુતમાં ભારતીય નાગરિકોને આ પશ્ચિમ એશિયાઈ દેશની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેણે ઇઝરાયેલ અને ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશ છોડવા સામે સખત ભલામણ કરી છે.
ગયા વર્ષે 8 ઓક્ટોબરથી ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ઇઝરાયેલ સૈનિકો અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. મંગળવારે ઇઝરાયેલે દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરને નિશાન બનાવ્યો હતો અને બાદમાં ઇઝરાયલે પુષ્ટિ કરી હતી કે તેણે શુકરની હત્યા કરી હતી. ઇઝરાયેલે દાવો કર્યો છે કે અધિકૃત ગોલાન હાઇટ્સમાં સપ્તાહના અંતે થયેલા રોકેટ હુમલા પાછળ શુકુરનો હાથ હતો જેમાં 12 યુવાનો માર્યા ગયા હતા.
બેરુતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જારી કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, આ ક્ષેત્રની તાજેતરની ઘટનાઓ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને કડક સૂચના આપવામાં આવે છે કે તેઓ લેબનોનનો પ્રવાસ ન કરે.
તેમાં કહેવામાં આવ્યું છે કે “તમામ ભારતીય નાગરિકોને લેબનોન છોડવાની સખત સલાહ આપવામાં આવે છે,” ભારતીય દૂતાવાસ દ્વારા “X” પર પોસ્ટમાં જણાવ્યું છે કે જેઓ કોઈપણ કારણોસર અહીં રહે છે તેઓને સાવચેતી રાખવાની, તેમની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાની અને તેના ઇમેઇલ અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 દ્વારા બેરુતમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.”
ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનિયાની હત્યા અને કેટલાક કલાકો અગાઉ બેરુતમાં ઈઝરાયેલ દ્વારા શુકુરને માર્યા ગયા બાદ બહાર પાડવામાં આવેલી કેટલીક ઘટનાઓને પગલે એમ્બેસીએ બુધવારે આ એડવાઈઝરી જારી કરી હતી. આ બંને ઘટનાઓને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ ખતરનાક બની છે.