‘પેપર લીક એક ધંધો બની ગયો છે’ ખેડૂતો બાદ ઉપરાષ્ટ્રપતિનું વધુ એક મોટું નિવેદન

નવી દિલ્હી: થોડા દિવસ પૂર્વે ખેડુત આંદોલન મામલે આપેલા નિવેદનને મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે તેમણે પેપર લીકને મામલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પેપર લીક એક પ્રકારનો ધંધો બની ગયો છે. જગદીપ ધનખડે કહ્યું છે કે જો પેપર્સ લીક થશે તો પસંદગીની નિષ્પક્ષતાનો કોઈ અર્થ રહેશે નહીં. પેપર લીક થવું એ એક ઉદ્યોગ, એક પ્રકારનો વ્યવસાય બની ગયો છે. આ એક ખરાબ બાબત છે જેના પર રોક લાગવી જોઈએ.
આ પણ વાંચો: Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી
પેપર લીક આજે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે કહ્યું, ‘જ્યારે પેપર લીક થાય છે, ત્યારે પસંદગીની નિષ્પક્ષતા પ્રભાવિત થાય છે.’ હવે તેનો કોઈ અર્થ નથી. પેપર લીક થવું આજે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. તે એક પ્રકારનો વેપાર બની ગયો છે, પરંતુ તે એક ખરાબ બાબત છે જેના પર રોક લગાવવાની ખાસ જરૂર છે. જોકે તેમણે પેપર લીકને રોકવા માટે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલની પણ પ્રશંસા કરી છે.
તૈયારી કરનારા ઉમેદવારોને બે ડર રહે છે
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, ‘વિદ્યાર્થીઓ મહિનાઓથી પરીક્ષાઓની તૈયારી કરતાં હોય છે, પરંતુ હવે તેમને બે ભયનો સામનો કરવો પડે છે.’ પહેલો ભય પરીક્ષાનો અને બીજો ભય પેપર લીક થવાનો. પેપર લીક એ મહિનાઓથી સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓ માટે મોટો આંચકો છે. મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) બિલ, 2024 અંગે તેમણે કહ્યું, ‘આ બિલ અંગે સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલની હું પ્રશંસા કરું છું.
ખેડૂત આંદોલન સમયે કર્યો હતો પ્રશ્ન
અગાઉ જગદીપ ધનખડે ધરણા પર બેઠેલા ખેડૂતોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ગયા મહિને, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં, તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાત કેમ નથી કરી રહી? તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે પણ એક આંદોલન થયું હતું અને આ વર્ષે પણ એક આંદોલન છે. કૃષિ મંત્રી, કૃપા કરીને મને કહો કે ખેડૂતોને શું વચન આપવામાં આવ્યું હતું, તે કેમ પૂર્ણ ન થયું અને તે વચન પૂર્ણ કરવા માટે આપણે શું કરવું જોઈએ?