નેશનલ

Uttarpradesh: છ જણના મોતનું ઘૂંટાતું રહસ્ય, સંબંધીએ અનુરાગના ભાઈ તરફ તલવાર તાકી

સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જ પરિવારના છ લોકોના મોતનો મામલો નવો વળાંક લઈ રહ્યો છે. હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના જિલ્લાના રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પહલાપુર ગામમાં બની હતી, જ્યાં એક જ પરિવારના છ લોકોના દુઃખદ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક અનુરાગ સિંહ (45 વર્ષ)એ નશાની હાલતમાં પોતાના ત્રણ બાળકો આશિમી (10 વર્ષ), આશના (12 વર્ષ) અને અભિજીત સિંહ (6 વર્ષ)ની એક પછી એક છત પરથી ફેંકીને હત્યા કરી હતી. આ પછી અનુરાગે સૂતેલી માતા સાવિત્રી અને પત્ની પ્રિયંકાને (40 વર્ષ) પણ ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

ગઈકાલે નશામાં ધૂત અનુરાગે આમ કર્યું હોવાની થિયરી બહાર આવી હતી, પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક અનુરાગના સાળા અંકિત સિંહે મોટો ખુલાસો કરીને પોલીસ તપાસ પર પણ સવાલો ઉભા કર્યા છે. અંકિત સિંહનું કહેવું છે કે જે સમયે હત્યા થઈ રહી હતી તે સમયે ઘરમાં છ નહીં પરંતુ સાત લોકો હાજર હતા. ઘટના સમયે અનુરાગની સાથે તેનો નાનો ભાઈ અજીત સિંહ પણ ઘરે હાજર હતો, પરંતુ પોલીસે હજુ સુધી પોતાના નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો નથી.

અંકિત સિંહે મોટો ખુલાસો કર્યો છે અને એ પણ જણાવ્યું છે કે મૃતક અનુરાગ તરબૂચનો મોટો વેપારી હતો. તે 100 વીઘા જમીનમાં ખેતી કરતો હતો. અંકિતના કહેવા પ્રમાણે, મિલકતના વિવાદને કારણે નાટકીય રીતે સમગ્ર પરિવારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. અંકિત સિંહ અને અનુરાગના સાસરિયાઓનું કહેવું છે કે અનુરાગ સતત લોકોને ગોળીબાર કરી રહ્યો હતો અને એક પછી એક બાળકોને છત પરથી નીચે ફેંકી રહ્યો હતો, પરંતુ પડોશમાં રહેતા લોકોને આ બાબતની જાણ પણ નહોતી. આ કેવી રીતે શક્ય બને. અંકિત સિંહે પોલીસ તપાસ પર પણ અનેક સવાલો ઉભા કર્યા છે. જો કે, પોલીસ અધિક્ષકે કહ્યું કે દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સાચી હકીકત બહાર આવશે.

ઘટનાને પગલે ગામમાં સનસનાટીનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગત સાંજે મૃતક અનુરાગ રાબેતા મુજબ ખેતરોમાં કામ કરી રહ્યો હતો અને લોકોને મળ્યો હતો. તે થોડો નશામાં હતો, પરંતુ તેના પોતાના પરિવારને મારી શકે તેટલો નશામાં ન હતો. અનુરાગ સાથે કામ કરતા ગ્રામજનોએ પણ જણાવ્યું કે અનુરાગ આવી ઘટનાને અંજામ આપી શકે નહીં. ગ્રામજનોએ જણાવ્યું કે અનુરાગનો ભાઈ અજીત સિંહ, જે વ્યવસાયે શિક્ષક છે, તે પણ ગઈ કાલે ઘરે આવ્યો હતો. ગઈકાલના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે અનુરાગનો ભાઈ ડરના માર્યા એક રૂમમાં પુરાઈ ગયો હતો, હવે ખરી ઘટના શું બની તે પોલીસની યોગ્ય તપાસ બાદ જ બહાર આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…