નેશનલ

યુપીના ગવર્નર આનંદીબેન પટેલનો કાર્યકાળ 4 દિવસ બાદ સમાપ્ત થશે, ફરી જવાબદારી મળશે?

લખનઉ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel)નો કાર્યકાળ 29 જુલાઈ 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. 29 જુલાઈ, 2019 ના રોજ, આનંદીબેન પટેલે યુપીના રાજ્યપાલ (UP Governor) તરીકેનો ચાર્જ સંભાળ્યો, રાજ્યપાલનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ બાકી છે. જો કે, રાજ્યના આગામી રાજ્યપાલ કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી? આનંદીબેન પટેલ ફરીથી આ જવાબદારી સંભાળશે કે અન્ય કોઈ રાજ્યપાલને રાજ્યનો હવાલો સોંપવામાં આવશે તે પણ સવાલ છે.

આનંદીબેન નવેમ્બરમાં 83 વર્ષના થઇ જશે. જો કે, તેઓ કાર્યક્રમો, સભાઓ અને કાર્યક્રમોમાં સક્રિય રહે છે. તાજેતરમાં, હાથરસ અને સીતાપુરમાં કાર્યક્રમોમાં ભાગ લેતી વખતે તેમના નિવેદનો અને અધિકારીઓને આપેલો ઠપકો પણ હેડલાઇન્સમાં બન્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ, આનંદીબેન પટેલને છત્તીસગઢ રાજ્ય પાલ બનાવવામાં આવ્યા હતા, તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

આનંદી પટેલે વર્ષ 1987માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં, તેણીએ રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ, ભાજપના રાજ્ય એકમના ઉપાધ્યક્ષ, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય જેવા મહત્વના હોદ્દા સંભાળ્યા હતા. આનંદી બેન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યા હતા, તેઓ 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા હતા.

ઉંમરને કારણે આનંદી પટેલ હવે નિવૃત્તિ જાહેર કરે એવી શક્યતા છે, જોકે આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

યુપીમાં કોઈ રાજ્યપાલને ફરીથી ચાર્જ મળ્યો નથી:
2 મે, 1949 થી, રાજ્યમાં કુલ 24 રાજ્યપાલે જવાબદારી નિભાવી ચુક્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં હજુ સુધી કોઈ રાજ્યપાલને બીજીવાર કાર્યકાળ સોંપાયો નથી. આનંદીબેન 25મા રાજ્યપાલ છે, જો આનંદીબેન પટેલને ફરીથી યુપીની જવાબદારી મળશે તો આવું પહેલી વાર થશે. 29મી જુલાઈના રોજ રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ નવી નિમણૂક અથવા કોઈને ચાર્જ ન અપાય ત્યાં સુધી આ પદની જવાબદારી આનંદીબેન પટેલ પાસે રહેશે.

આનંદીબેન પટેલ યુપીના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ છે. જ્યારે યુપી એક સંયુક્ત પ્રાંત હતો અને ઉત્તર પ્રદેશ નહીં, ત્યારે સરોજિની નાયડુ 15 ઓગસ્ટ 1947 થી 2 માર્ચ 1949 સુધી રાજ્યના રાજ્યપાલ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?