નેશનલ

‘બેરોજગારી અને મોંઘવારી સંસદની સુરક્ષા ચૂક માટે જવાબદાર’, રાહુલે ગાંધીએ કેન્દ્ર સરકારની ટીકા કરી

નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક અંગે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. એક નિવેદનમાં તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું કે આ સુરક્ષામાં મોટી ખામી છે. આવું કેમ થયું… કારણ કે આ દેશમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે દેશના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. આ ઘટના પાછળનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગૃહ પ્રધાન ગૃહમાં નિવેદન આપવા માંગતા નથી. તેઓ મીડિયામાં આ મુદ્દે નિવેદનો આપી રહ્યા છે, પરંતુ ગૃહને સુચારૂ રીતે ચલાવવા માટે ગૃહમાં બોલતા નથી. સાથે જ કહ્યું કે તેઓ કોંગ્રેસના નામે વોટ માંગે છે, નહેરુજી અને ગાંધીજીને નિશાન બનાવીને વોટ માંગે છે.


સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે જ્યારે મીડિયાએ યુવાનોના પરિવારો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે આ તમામ યુવાનો બેરોજગારીને કારણે નાખુશ છે. જેથી તેઓ ગૃહમાં કૂદી પડ્યા હતા. નોકરી ન મળતાં તેઓએ મૂંગી બહેરી સરકારને જગાડવા માટે ગૃહમાં ઝંપલાવ્યું હતું.


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપ સરકાર પર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ગૃહ પ્રધાન ગૃહમાં નિવેદન આપવા માટે કેમ તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું કે આમાં મૈસુરના ભાજપના સાંસદની ભૂમિકા હતી, જેમણે ઘૂસણખોરોને વિઝિટર પાસ આપ્યા હતા. જયરામ રમેશે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ મામલે તેમની ભૂમિકા શું છે. એમ પણ કહ્યું કે આ સંસદની અવમાનના છે. આ સંસદીય પરંપરાઓનું અપમાન છે. જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે પ્રધાનો ક્યારેય ગંભીર મુદ્દાઓ પર સંસદની બહાર આટલા મોટા નિવેદનો આપતા નથી, તેઓ પહેલા સંસદને વિશ્વાસમાં લે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…