પૂર્ણે બાદ બિહારના એક બ્રિજમાં ભંગાણ, લોકાર્પણ પહેલા જ ત્રણ મોટા અકસ્માત સર્જાયા

બિહારના ભાગલપુર જિલ્લામાં કોસી નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો 40 ફૂટનો ભાગ શુક્રવારે મોડી રાત્રે ધરાશાયી થયો. આ ઘટનાએ પુલના નિર્માણની ગુણવત્તા અને સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ પુલ ઉત્તરી અને દક્ષિણ બિહારને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખીનય છે કે, આ દુર્ઘટના તેના નિર્માણની ત્રીજી મોટી ઘટના છે.
ભાગલપુરના નવગછિયા વિસ્તારમાં નેશનલ હાઈવ-106 પર બિહપુરથી ફુલૌત સુધીના કોસી નદી પર બની રહેલા પુલનો 40 ફૂટનો ભાગ શુક્રવારે રાત્રે 2 વાગ્યે પડી ભાંગી પડ્યો હતો.
આપણ વાંચો: કટકમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી થતાં 3 લોકોના મોત, CMએ આપ્યા તપાસના આદેશ
હરિઓના ત્રિમુહાન ઘાટ પાસે વોલ્વો લોડરથી સિગ્મેન્ટ ખસેડાતો હતો ત્યારે લોડરના પ્રેશરથી પંપનો પાઇપ ફાટી ગયો. જેના કારણે દોરી તૂટી પીડ અને એક સેગ્મેન્ટ પુલ પર પડી ગયો, જેનાથી પાંચ સેગ્મેન્ટને નુકસાન થયું હતું.
આ પુલના નિર્માણ દરમિયાન આ ત્રીજી મોટી દુર્ઘટના છે. અગાઉ નદીના ઝડપી પ્રવાહમાં એક તૈયાર પિલર વહી ગયું હતું, અને બીજી વખત એક પિલર ધસી ગયું હતું. નિષ્ણાતોની સલાહ પર બે પિલરોનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: Video: દક્ષિણ કોરિયામાં નિર્માણાધીન પુલ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો, જુઓ વિડીયો
આ ઘટનાએ નિર્માણની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઉભા કર્યા છે. સદનસીબે આ દુર્ઘટના દરમિયાન કોઈ શ્રમિક હાજર ન હતો, જેથી કોઈ પણ જાનહાની થઈ ન હતી.
આ પુલ એનએચ-106 મિસિંગ લિંક પ્રોજેક્ટનો ભાગ છે, જે 6.94 કિમી લાંબો હશે અને બિહારનો સૌથી લાંબો પુલ બનશે. 996 કરોડની કિંમતનો આ પ્રોજેક્ટ 2026 સુધી પૂર્ણ થવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020માં તેનો શિલાન્યાસ કર્યો હતો. નિર્માણની જવાબદારી મુંબઈની એફકોન કંપની પર છે, અને ઘટના બાદ તેમની ટીમ અને ઇજનેરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.