રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ , જાણો કોણ છે હત્યાનો માસ્ટર માઈન્ડ

ઈન્દોર : મેઘાલયમાં ઈન્દોરના નિવાસી રઘુવંશીની હત્યા કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં ઈન્દોર અને શિલોંગ પોલીસ રાજા રઘુવંશી અને સોનમ કેસ અંગે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. લગ્ન પછી હનીમૂન માટે ગયેલા રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેની પત્ની સોનમ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. સોનમની ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્રણ આરોપીની ઈન્દોરથી ધરપકડ એક ફરાર
જ્યારે આ કેસમાં રાજા રઘુવંશીની હત્યામાં સંડોવાયેલા અન્ય ત્રણ લોકોની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરાયેલા આ ત્રણેય લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ધરપકડ કરાયેલા આ ત્રણ આરોપીઓના નામ વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહ છે. ચોથો આરોપી વિશાલ ચૌહાણ છે જે હજુ પણ ફરાર છે.
રાજ કુશવાહ હત્યાનો માસ્ટર માઇન્ડ
જ્યારે પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આનંદે રાજા રઘુવંશી પર હુમલો કરનારો સૌપ્રથમ હતો. આ સમગ્ર હત્યાનો માસ્ટર માઇન્ડ રાજ કુશવાહ છે. તે સતત સોનમના સંપર્કમાં હતો. કોલ ડિટેલના આધારે પોલીસે રાજ કુશવાહાની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને ઇનપુટ આપ્યું હતું. તેની બાદ સોમવારે સવારે ગાઝીપુરના એક ઢાબામાંથી સોનમની ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્દોર અને શિલોંગ પોલીસે સંયુક્ત રીતે કામ કર્યું
આ સમગ્ર કેસ વિશે વધુ માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ એસપી રાજેશ દંડોટિયાએ જણાવ્યું હતું કે રાજા રઘુવંશી અને સોનમ મેઘાલયમાં ગુમ થયા હતા. ત્યારથી ઇન્દોર પોલીસ અને શિલોંગ પોલીસ બંને આ કેસ અંગે સંપર્કમાં હતા. શોધ દરમિયાન 02 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે સૌરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
શિલોંગ પોલીસ તમામ કાનૂની કાર્યવાહી કરશે
હવે શિલોંગ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. તપાસ બાદ મેઘાલય પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક આરોપી હજુ પણ ફરાર છે. તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે. પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે શિલોંગ પોલીસ દ્વારા તમામ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ બાદ જ બધી બાબતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો….રાજાની હત્યા મામલે ભાઈ વિપિન રઘુવંશીએ સોનમ મામલે કર્યો મોટો ખુલાસો, જુઓ વીડિયો