નેશનલ

અલાહાબાદ હાઈ કોર્ટમાંથી આ નેતાને મળી મોટી રાહત….

પ્રયાગરાજ: નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યોગી સરકારના કેબિનેટ પ્રધાન ડૉ. સંજય નિષાદને અલહાબાદ હાઈ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલહાબાદ હાઈ કોર્ટે નિષાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ.સંજય નિષાદ વિરુદ્ધ રેલવે ટ્રેક જામ કરવા માટેનો કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર અને સંજય નિષાદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો હતો.

હાઈ કોર્ટે CJM ગોરખપુરના પુરાવાની વિરુદ્ધ ખોટી ધારણા પર કેસ પાછો ખેંચવાની અરજી ફગાવવાના આદેશને રદ કર્યો છે. રાજ્ય સરકારની ક્રિમિનલ રિવિઝન પિટિશન અને સંજય નિષાદની કલમ 482ની અરજીને સ્વીકારતા જસ્ટિસ રાજબીર સિંહની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો છે. રાજ્ય સરકારની અરજી પર સરકારી વકીલ એકે સેન્ડ અને વિનીત પાંડેએ એવી દલીલો કરી હતી કે 8 જૂન, 2015ના રોજ આરપીએફ પોલીસ સ્ટેશન ગોરખપુરમાં નોંધાયેલા કેસમાં આરોપી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે નિષાદ એકતા પરિષદના પ્રમુખ સંજય નિષાદે તમામ કાર્યકર્તાઓ સાથે 7 જૂન, 2015ના રોજ રેલવે ટ્રેક પર વિરોધ કર્યો હતો.

જેના કારણે નગર-સહજણવા રેલવે ટ્રેકનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સરકારે 7 ઓગસ્ટ 2023ના રોજ કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. સરકારી વકીલે કલમ 321 હેઠળનો કેસ પાછો ખેંચવા અરજી કરી હતી. પરંતુ મેજિસ્ટ્રેટે એમ કહીને અરજી ફગાવી દીધી હતી કે હાઇ કોર્ટમાંથી પરવાનગી લેવામાં આવી નથી. સરકારી વકીલે કહ્યું હતું કે 21 માર્ચ 23ના રોજ કેસ પાછો ખેંચવા માટે હાઈ કોર્ટમાંથી પરવાનગી લેવામાં આવી છે.

આ પછી સરકારી વકીલે પોતાની રીતે જાતે જ નિયમ મુજબ અરજી દાખલ કરી. જેમાં હાઇ કોર્ટે જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટે કાયદાની અવગણના કરી છે, તેથી મેજિસ્ટ્રેટનો આદેશ રદ કરવો જોઈએ કારણ કે તે તથ્યો અને કાયદાની વિરુદ્ધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત