નેશનલસ્પોર્ટસ

બાબા મહાકાલના દરબારમાં પહોંચી આ બેંડમિન્ટન ખેલાડી, પરિવાર સાથે કર્યા દર્શન

આંતરરાષ્ટ્રીય બેંડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ તેના પરિવાર સાથે બાબા મહાકાલના દરબારમાં દર્શન કરવા માટે પહોંચી હતી. પોતાના માતાપિતા સાથે તેમણે વહેલી સવારે ભસ્મ આરતી શ્રૃંગારમાં ભાગ લીધો હતો અને પૂજા-અર્ચના કરી હતી. મંદિરના પૂજારીએ તેમને પૂજાપાઠ કરાવ્યા હતા.

સાઇનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “મને નાનપણથી જ ભગવાન શિવ પર ખૂબ જ આસ્થા છે. હું કોઇપણ જગ્યાએ ફરવા જઉં તો ત્યાંના મંદિરમાં અચૂકપણે દર્શન કરતી હોવ છું. આજે મહાકાલના દર્શન કર્યા, હું ખૂબ જ ખુશ છું કે પરિવાર મારી સાથે છે. અહીં આવીને સૌની મનોકામના પૂરી થાય છે.”

સાઇનાએ કહ્યું કે તેને ઘૂંટણમાં ઇજાને કારણે તે હાલ ટેનિસમાં સક્રિય નથી. જો કે તે રિકવરીના પૂરા પ્રયત્નો કરી રહી છે. આ માટે તે સતત ડોક્ટરની સારવાર લઇ રહી છે. સાઇના નેહવાલ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારત માટે મેડલ જીતનારી પહેલી ખેલાડી રહી છે. તેમણે 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ