નેશનલ

શરણાગતિ સ્વીકારી લે એમ બોલતાની સાથે જ રડવા લાગ્યો આ ગેંગસ્ટરનો ભાઇ…

જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાના મોટા ભાઈ હનુમાન સ્વામીએ પહેલીવાર જાહેરમાં નિવ્દન આપ્યું હતું તેમણે રડતા રડતા કહ્યું હતું કે આવા ગુનેગારો માટે માત્ર પોલીસની ગોળી કે દુશ્મનની ગોળી જ હોય છે. પછી ભલે તે ગમે તેવો મોટો માણસ હોય. હું ફક્ત મારા ભાઈને શરણાગતિ સ્વીકારવાનું કહી શકું.

રોહિત ગોદરાના ભાઈ હનુમાન સ્વામીએ જણાવ્યું હતું કે તે ક્યારેય અમારા કોઇના સંપર્કમાં રહેતો નહોતો. 2005માં તેના અને મારા લગ્ન સાથે કરાવ્યા પરંતુ તેને તે લગ્ન નિભાવ્યા નહી અને તેના કારણે તેની પત્નીએ તેની પર દહેજનો કેસ કર્યો અને 2007માં તેને છૂટાછેડા લઇ લીધા અમને એમ હતું કે એ જેલમાં રહ્યો છે એટલે હવે થોડો સુધરી જશે અમે તેને મોબાઇલની દુકાન બિકાનેરમાં કરી આપી પરંતુ અમારી જાણ બહાર જ તે ગુનામાં સંડોવાતો જતો હતો. અને ધીરે ધીરે તે થોડા થોડા સમયે જેલમાં જવા લાગ્યો અને 2010માં મારા પિતાએ તેને જમીન અને મિલકતમાંથી બેદખલ કરી દીધો.

મારા દાદીનું અવસાન થયું ત્યારે તે બિકાનેરમાં હતો તેમ છતાં તે ઘરે નહોતો આવ્યો અને થોડા સમય બાદ અમને ખબર પડી કે તે વિદેશ ભાગી ગયો છે. જો કે એકવાર પાંચ-છ છોકરાઓને વઇને માતાને મળવા આવેલો ત્યારે માતાએ ઘણી આજીજી કરી પરંતુ તે ના રોકાયો અને જતો રહ્યો. ત્યારે આજે અહી આજુ બાજુ વાળાને રહેતા લોકોને ખબર છે કે અમારે કોઇ સંબંધ નથી એટલે અમને પોલીસ કે કોઇ હેરાન નથી કરતું પણ જો મારો ભાઇ સમાચારો વાંચચે હોય તો મારી તેને અપીલ છે કે તે ગુનાખોરી છોડીને પોલીસની શરણાગતિ સ્વીકારી લે. નિર્દોષ લોકોની હત્યા કરવાથી તું કોઇની ગોળીનું નિશાન જ બનીશ.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker