નેશનલ

Tamilnadu ના મંદિરમાં અભિનેત્રી પાસે માંગવામાં આવ્યો હિંદુ હોવાનો પુરાવો

નવી દિલ્હીઃ તમિલનાડુના(Tamilnadu)મીનાક્ષી અમ્માન મંદિરમાં દર્શન કરવા હિંદુ હોવાનો પુરાવો માંગવામાં આવ્યો હોવાની બાબતે વિવાદ સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી નમિતા મીનાક્ષીએ ફરિયાદ કરી છે કે તેમને મીનાક્ષી અમ્માન મંદિરમાં દર્શન કરવા હિંદુ હોવાનો પુરાવો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે આ અંગે પત્રકારોને કહ્યું હતું કે મારી પાસે હિંદુ હોવાનું સાબિત કરવા માટે પુરાવો માંગ્યો અને મારું જાતિ પ્રમાણપત્ર પણ માંગ્યું. મેં દેશમાં જેટલા પણ મંદિરોની મુલાકાત લીધી છે ત્યાં મને ક્યારેય આવી સમસ્યાનો સામનો નથી કરવો પડયો.

માસ્ક પહેરેલી નમિતા અને તેના પતિને રોક્યા

નમિતાએ વધુમાં કહ્યું કે તેનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો અને તેના લગ્ન તિરુપતિમાં થયા હતા અને તેના પુત્રનું નામ ભગવાન કૃષ્ણના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેણે કહ્યું, “જ્યારે આ બન્યું, ત્યારે તેઓએ અસંસ્કારી અને ઘમંડી વાત કરી અને મારી જાતિ અને મારો ધર્મ સાબિત કરવા માટે પ્રમાણપત્ર માંગ્યું.” જો કે, મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેણે માસ્ક પહેરેલી નમિતા અને તેના પતિને રોક્યા અને પૂછ્યું કે શું તેઓ હિન્દુ છે.

મંદિરના અધિકારીએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા

નમિતાએ વધુમાં કહ્યું કે એ સર્વવિદિત છે કે મારો જન્મ એક હિંદુ પરિવારમાં થયો છે અને મારા લગ્ન તિરૂપતિમાં થઈ હતી. તેમજ મારા પુત્રનું નામ ભગવાન કૃષ્ણના નામ પર રાખ્યું છે. મંદિરમાં મારી સાથે અશિષ્ટતા ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો અને જાતિ અને ધર્મ સાબિત કરવા પ્રમાણપત્ર માંગવામાં આવ્યું. જો કે મંદિરના અધિકારીએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે માસ્ક પહેરેલી નમિતા અને તેમના પતિને રોકીને માત્ર તમે હિંદુ છો તેમ જ પૂછ્યું હતું.

અભિનેત્રીને મંદિરની પરંપરા વિશે જણાવ્યું

અધિકારીએ વધુમાં કહ્યું કે અભિનેત્રીને મંદિરની પરંપરા વિશે જણાવ્યું. અભિનેત્રીના ખુલાસા બાદ કપાળ પર કુમકુમ લગાવવામાં આવ્યું હતું અને દેવી મીનાક્ષીના દર્શન માટે મંદિરની અંદર લઈ જવામાં આવી હતી. જ્યારે અભિનેત્રીએ જણાવ્યું કે આસ્થા સાબિત કરવા માટે કપાળ પર કુમકુમ લગાવ્યા બાદ જ તેને દર્શનની મંજૂરી આપવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ