નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓએ ફરી એક વાર નાપાક ઘટનાને અંજામ આપ્યો છે, અનંતનાગ જિલ્લાના કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorists)એ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું હતું, અહેવાલ મુજબ એક જવાન કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક જવાન હજુ પણ ગુમ છે. સેના ગુમ થયેલા જવાનની શોધ કરી રહી છે.

અહેવાલ મુજબ આતંકવાદીઓએ ટેરિટોરિયલ આર્મીના જવાનનું અપહરણ કર્યું છે. ગઈકાલે 8 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતા, એ જ દિવસે આ ઘટના બની હતી.

અહેવાલ મુજબ મંગળવારે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના શાંગુસમાંથી બે સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જો કે, તેમાંથી એક ભાગી જવામાં આપવામાં સફળ રહ્યો હતો. અપહરણની માહિતી બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોએ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ભારતીય સેનાએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

થયો હતો. જો કે ટે બચવામાં સફળ રહ્યો હતો. આતંકવાદીઓ તેનું અપહરણ કરવા માટે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા.

Also Read –

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker