અંતરિક્ષમાં ભયાનક વાવાઝોડાની ચેતવણી,, જાણો ભારતને શું અસર થશે…

અવકાશમાં એક મોટું તોફાન આવવાનું છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે કે આ મોટું સૌર વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં ભારત પર તેની કેટલી અસર થશે તે સમજવાની જરૂર છે.
સૌથી પહેલા તો સૌર વાવાઝોડુ શું છે એ સમજીએ. સૌર વાવાઝોડુ એટલે સૂર્યના કારણે સૂર્યમંડળમાં કણો, ઊર્જા, ચુંબકીય ક્ષેત્રો અને સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે. સૂર્યની સપાટી પર અનેક વિસ્ફોટો થતા રહે છે. ક્યારેક તેઓ અત્યંત તેજસ્વી પ્રકાશ સાથે પુષ્કળ ઊર્જા છોડે છે. આ વિસ્ફોટોથી સૂર્યની સપાટી પરથી મોટી માત્રામાં ચુંબકીય ઉર્જા બહાર આવે છે. જે જ્વાળાઓ જેવી દેખાય છે. જો આ અમર્યાદિત ઉર્જા ઘણા દિવસો સુધી મુક્ત થતી રહે, તો તેમાંથી ખૂબ જ નાના પણ જબરદસ્ત ન્યુક્લિયર રેડિયેશન ધરાવતા ન્યુક્લિયર કણો બહાર ફેંકાય છે, જે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. આને સૌર વાવાઝોડું કહેવાય છે.
આ પણ વાંચો : તો શું અંતરિક્ષમાં આવું દેખાય છે સૂર્યગ્રહણ…
નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આનાથી ઈલેક્ટ્રોનિક કમ્યુનિકેશન પર અસર થઈ શકે છે. સૌર તોફાન એ સૂર્યના કારણે સૂર્યમંડળમાં થતા કણો, ઊર્જા, ચુંબકીય ક્ષેત્રો અને સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે.
એક રિપોર્ટ અનુસાર આવનારા સૌર વાવાઝોડાને કારણે ટેલિકોમ્યુનિકેશન અને સેટેલાઇટમાં વિક્ષેપ પડી શકે છે. ભારતીય વૈજ્ઞાનિકો આના પર નજર રાખી રહ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના નિષ્ણાતોએ કહ્યું કે તેઓએ ભારતીય સેટેલાઈટ ઓપરેટરોને તમામ સાવચેતી રાખવા માટે જાણ કરી છે. આગામી થોડા દિવસો પૃથ્વી માટે ઘણા મહત્વના છે કારણ કે સૌર વાવાઝોડું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. વૈજ્ઞાનિકો સૌર વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને મેગ્નેટોસ્ફિયર પર પણ નજર રાખી રહ્યા છે. જેમ જેમ સૌર વાવાઝોડું પૃથ્વીની નજીક આવશે તેમ તેમ રેડિયો બ્લેકઆઉટ, પાવર આઉટેજ જેવી અસરો અનુભવી શકાય છે.
વૈજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે, સૌર વાવાઝોડું પૃથ્વી પર કોઈને સીધું નુકસાન પહોંચાડતું નથી, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણ આપણને આ સૌથી ખરાબ તોફાનોથી રક્ષણ આપે છે.