જયપુરમાં ગોઝારો અકસ્માતઃ અસ્થિ વિસર્જનથી પાછા ફરતા એક પરિવારના 7 સભ્યનો અંત | મુંબઈ સમાચાર
નેશનલ

જયપુરમાં ગોઝારો અકસ્માતઃ અસ્થિ વિસર્જનથી પાછા ફરતા એક પરિવારના 7 સભ્યનો અંત

જયપુરઃ રાજસ્થાનના પાટનગરમાં આજે એક ભયાનક રોડ અકસ્માત થયો, જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટના વાટિકા રિંગ રોડ પર બની, જ્યાં એક કાર બેકાબૂ થતા ઊંધી વળી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને હોસ્પિટલમાં પહોંચાડ્યા અને તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં એક જ પરિવારના મોટા ભાગના લોકો ભોગ બનતા સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

આપણ વાંચો: બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત…

જયપુરના વાટિકા રિંગ રોડ પર એક કાર અચાનક બેકાબૂ થઈ હતી. જેના કારણે સાત લોકોના ભોગ બન્યા હતા. આ કારમાં ત્રણ પુરુષ, બે મહિલાઓ અને બે બાળકો સવાર હતા, જેઓ હરિદ્વારથી પરિવારજનની અસ્થિવિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ તમામ સાત લોકોના મોત થયા હતા.

ઘટનાની જાણ થતા શિવદાસપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા જયપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ અકસ્માતની ઘટનાને લઈ તપાસે હાથ ધરી છે. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલવમાં આવ્યા છે.

મૃતકોમાં રામરાજ વૈષ્ણવ, તેમની પત્ની મધુ, તેમનો પુત્ર રૂદ્ર તેમ જ સંબંધી કાલુરામ, તેમની પત્ની સીમા, તેમનો પુત્ર રોહિત અને ગજરાજનો સમાવેશ થાય છે. આ તમામ ફુલિયાવાસ, કેકડી અને જયપુરના વાટિકા વિસ્તારના રહેવાસી હતા. આ ઘટનાએ પરિવાર અને સ્થાનિક સમુદાયમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button